rashifal-2026

આ છોડ પર શનિની કૃપાથી ઉગે છે પૈસો

Webdunia
શનિવાર, 6 ઑક્ટોબર 2018 (11:01 IST)
નવ ગ્રહોમાં શનિ દેવને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે.  તેથી જ તો શનિ દશાથી જ નહી બલ્કિ શનિના નામથી જ લોકો ભયભીત રહે છે અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયોની મદદ લે છે. જેથી શનિ કૃપા સદા તેમના પર કાયમ રહે. કેટલાક એવા છોડ પણ છે જેમની સેવા કરવાથી શનિ દેવની અપાર કૃપા વરસે છે. 
 
પીપળો  અને શમીના ઝાડ શનિને ખૂબ જ પ્રિય છે.  પીપળના વૃક્ષનો આકાર ખૂબ જ મોટો હોય છે. તેને ઘરમાં રોપિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.  કેટલાક લોકો પીપળના સ્થાન પર બોનસાઈ વૃક્ષ લગાવી લે છે જેથી શનિ પ્રસન્ન રહી શકે.  પણ આવુ કરવાથી ઉન્નતિના માર્ગમાં અવરોધ થવા માંડે છે. તેથી બોનસાઈ પીપળ પણ ઘરમાં રોપિત ન કરવુ જોઈએ. 
 
શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે.  (ધરમાં પૈસાની આવક વધે છે) 
 
વાસ્તુ શાસ્ત્રી માને છે કે રોજ શમીનું પૂજન કરવાથી અને તેની પાસે સરસિયાના તેલનો દિવો અર્પિત કરવાથી શનિ દોષથી તો મુક્તિ મળે જ છે સાથે જ ધન સંપત્તિનુ આગમન થાય છે. 
 
ઘરની નકારાત્મક ઉર્જાને શમીનો છોડ પોતાની ઉપર લઈ લે છે. 
 
ઘર પર કરવામાં આવેલ ટોના-ટોટકાને શમી શાંત કરે છે. 
 
ખરાબ નજરને કારણે પ્રગતિમાં આવનારા અવરોધને પણ શમીનો છોડ દૂર કરે છે. 
 
શમીના કાંટા તંત્ર-મંત્ર અવરોધો અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત

આગળનો લેખ
Show comments