Festival Posters

Sankashti Chaturthi 2021 : આજે છે સંકષ્ટી ચતુર્થી, ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂર કરો આ કામ

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (08:55 IST)
ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરેક મહિનાની ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી ચતુર્થી તિથિને વિકટ સંકષ્ટિ ચતુર્થી પણ કહે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શુ કરવુ જોઈએ 
 
ભગવાન ગણેશને દૂર્વા અર્પિત કરો - આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ગણેશજીને દુર્વા જરૂર અર્પિત કરવો જોઈએ. દુર્વા અર્પિત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમે દરરોજ ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરી શકો છો. 
 
ભગવાન ગણેશને ભોગ લગાવો - ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે મોદક અથવા લાડુનો નૈવેદ્ય ધરાવો. ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ પસંદ હોય છે. તમે તમારી ઇચ્છા મુજબ પણ ભગવાન ગણેશને ભોગ લગાવી શકો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવામાં આવે છે. 
 
ભગવાન ગણેશને સિંદૂર લગાવો - ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર પણ લગાવો. ગણેશજીને સિંદૂર લગાવ્યા પછી એ સિંદૂર તમારા માથે પણ લગાવી લો.  ગણપતિને સિંદૂર લગાવવાથી તમામ પ્રકારના દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે. 
 
ભગવાન ગણેશની આરતી કરો - આ પવિત્ર દિવસે ભગવાન ગણેશનું વધુ ને વધુ ધ્યાન કરો અને તેમની આરતી જરૂર કરો. 
 
ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્રોનો જાપ -ૐ શ્રી સિદ્ધિવિનાયકાય નમ:

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

આગળનો લેખ
Show comments