rashifal-2026

Rambha teej- આજે રંભા ત્રીજ, પતિની લાંબી ઉંમર અને સંતાન સુખ માટે

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (08:31 IST)
Rambha Teej 2022 / Apsara Rambha Tritiya Puja Vidhi: આ વખતે રંભા તીજ આજે એટલે કે 2જી જૂને રાખવામાં આવશે. આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ફળદાયી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી ભક્તનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અપ્સરા રંભાએ મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી શિવ-પાર્વતી અને દેવી લક્ષ્મી ત્રણેયની કૃપા પ્રાપ્ત થાય છે.

જેઠ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે રંભા તૃતીયા એટલે કે રંભા ત્રીજ(Rambha teej)  વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે રંભા ત્રીજ 2 જૂન 2022 એ આવી રહી છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાં પ્રેમ, સુંદરતા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, અપ્સરા રંભાની ઉત્પત્તિ દેવો અને અસુરો દ્વારા થયેલા સુમદ્ર મંથન સમયે થઈ હતી.
 
એવું માનવામાં આવે છે કે, આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો અપ્સરા રંભાના કયા નામનો જાપ કરવામાં આવે છે.
 
આ રીતે કરો રંભા પૂજન :
રંભા ત્રીજના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો અને સૂર્યદેવ તરફ દીવો પ્રગટાવો. આ દિવસે વિવાહિત મહિલાઓ વિધિ-વિધાન સાથે દેવી લક્ષ્મી અને માતા સતીની પૂજા કરે છે. આ દિવસે સૌભાગ્ય અને સૌંદર્યનું પ્રતિક અપ્સરા રંભાની પૂજા કરવામાં આવે છે. તેથી જ ઘણી જગ્યાએ રંભાના પ્રતીક તરીકે બંગડીઓની જોડીને પૂજવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments