Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રદોષ વ્રત - માનસિક રોગ અને કર્જથી પરેશાન લોકો માટે વિશેષ ફળદાયી છે આ વ્રત

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (09:05 IST)
ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવાથી સુખી જીવન અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
પ્રદોષ વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. પ્રદોષ વ્રત ખાસ કરીને એવા લોકોએ કરવું જોઈએ જેઓ કર્જમાં ડૂબેલા છે અથવા જેઓ પોતાની જમીન, મકાન, મિલકત ખરીદવા માંગે છે. પ્રદોષ વ્રત દરમિયાન શિવ સ્તોત્રનો પાઠ કરો. કપાળ, ગળા અને નાભિ પર કેસરનું તિલક લગાવો. પ્રદોષ વ્રતના દિવસે પીપળના ઝાડની 108 પરિક્રમા કરતી વખતે જળ ચઢાવો. પ્રદોષ તિથિ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તના લગભગ 45 મિનિટ પહેલા પ્રદોષ કાલ સંધ્યાના સમયે શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવી તે લોકો માટે ખૂબ જ શુભ હોય છે જેમને માનસિક રીતે બીમારી હોય અથવા જેમનુ સ્વાસ્થ્ય નબળુ હોય. 
 
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભક્તિભાવ અને વિધિ વિધાનથી શિવની પૂજા કરો. આ વ્રત કરવાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. પરિવારમાં સુખ-સંપત્તિ  માટે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો. ભગવાન શિવની પૂજા કરવાથી ઘર કે ઓફિસમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. આ વ્રત દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments