Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રદોષ વ્રત - માનસિક રોગ અને કર્જથી પરેશાન લોકો માટે વિશેષ ફળદાયી છે આ વ્રત

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (09:05 IST)
ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવાથી સુખી જીવન અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
પ્રદોષ વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. પ્રદોષ વ્રત ખાસ કરીને એવા લોકોએ કરવું જોઈએ જેઓ કર્જમાં ડૂબેલા છે અથવા જેઓ પોતાની જમીન, મકાન, મિલકત ખરીદવા માંગે છે. પ્રદોષ વ્રત દરમિયાન શિવ સ્તોત્રનો પાઠ કરો. કપાળ, ગળા અને નાભિ પર કેસરનું તિલક લગાવો. પ્રદોષ વ્રતના દિવસે પીપળના ઝાડની 108 પરિક્રમા કરતી વખતે જળ ચઢાવો. પ્રદોષ તિથિ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તના લગભગ 45 મિનિટ પહેલા પ્રદોષ કાલ સંધ્યાના સમયે શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવી તે લોકો માટે ખૂબ જ શુભ હોય છે જેમને માનસિક રીતે બીમારી હોય અથવા જેમનુ સ્વાસ્થ્ય નબળુ હોય. 
 
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભક્તિભાવ અને વિધિ વિધાનથી શિવની પૂજા કરો. આ વ્રત કરવાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. પરિવારમાં સુખ-સંપત્તિ  માટે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો. ભગવાન શિવની પૂજા કરવાથી ઘર કે ઓફિસમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. આ વ્રત દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

Soft Drinks Side Effects - ઠંડા પીણાં પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે, આ રોગો શરીરને ઘેરી લે છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પીવું જાણો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

વધુ જુઓ..

નવીનતમ

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Rang Panchmi 2025: આંજે રંગપંચમીના દિવસે આ ઉપાયો કરશો તો જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધન-ધાન્યનો વરસાદ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

આગળનો લેખ
Show comments