Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલારામ બાપાની બાધા કરવાની વિધિ

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (08:01 IST)
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયની અનંત શ્રધ્ધાથી પૂજા કરવી. બીજી વર્ષે બાપાની એજ રીતે પૂજા કરવી અને નવુ નારિયેર મૂકવુ. જુના નારિયેરનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 
'શ્રી રામ જય રામ, જયરામ' ની એક માળા કરવી, ત્યારબાદ બીજી માળા 'સીતારમ જલારામ'ની કરવી. આ રીતે દર ગુરૂવારે બાપાની પૂજા કરવી.
 
દર શનિવારે તેલનો દીવો કરવો, શનિવાર કે ગુરૂવારે શક્તિ મુજબ અપંગોને દાન કરવુ.
 
જલારામ બાપાના નામે પાંચ ગુરૂવાર કરવા.
 
દર ગુરૂવારે 1 સફરજન, એક જામફળ, 1 સંતરા, 6 ચીકુ, અને 12 કેળાનો પ્રસાદ એક થાળીમાં મુકીને બાપાને ધરાવવો. બાપાની પૂજા કરી માળા કરવી અને આરતી ઉતારીને બાપાને ધરાવેલ પ્રસાદની થાળીમાં એક તુલસીનું પાન મુકી બાપાને પ્રેમથી જમાડવા. ત્યારબાદ આ પ્રસાદમાંથી ખવાય તેટલો ખાવો બાકીનો વહેંચી દેવો, આ સિવાય કંઈ પણ ખાવવું નહી.
 
આ ઉપરાંત દર ગુરૂવારે પાશેર સાકર અને નારિયળનો પ્રસાદ બાપાને ધરાવવો અને એનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments