Webdunia - Bharat's app for daily news and videos

Install App

Geeta Jayanti Updesh in Gujarati - ગીતા જયંતીના દિવસે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, જાણો તેનું મહત્વ

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (00:24 IST)
Geeta Jayanti-ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે કારણ કે તે માત્ર હિંદુ ધર્મનો અદ્ભુત ધાર્મિક અને દાર્શનિક ગ્રંથ નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આપણે કોઈપણ આસક્તિ વિના આપણું કર્તવ્ય નિભાવવું જોઈએ. કાર્ય કરવાથી પરિણામની ઈચ્છા ન હોવી જોઈએ કારણ કે આ ધ્યાન માણસને ઈચ્છાઓથી મુક્ત કરે છે.

ગીતામાં ભક્તિનું મહત્વ ઘણું વધારે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સાચા હૃદયથી ભગવાનની ઉપાસના કરવા અને જીવનના તમામ કાર્યો ભગવાનને સમર્પિત કરવાનું કહ્યું.

ભગવદ ગીતાનો સંદેશ એક અમૃત છે જે જીવનને શક્તિશાળી દ્રષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. તે શીખવે છે કે જીવનમાં દરેક પડકારને એક તક તરીકે જોવો જોઈએ અને વ્યક્તિએ પોતાના કાર્યોને યોગ્ય દ્રષ્ટિકોણથી મેળવવો જોઈએ.

 મન પર કાબૂ
મન તમામ દુ:ખોનું કારણ બને છે. આ કારણોસર મનને કાબૂમાં રાખવું જરૂરી છે. મન પર કાબૂ મેળવી લીધો હોય તો મનમાં ઉત્પન્ન થતી તમામ ચિંતા અને ઈચ્છા દૂર રહે છે. 
 
ફળની ઈચ્છા ના રાખવી
મનુષ્યએ કર્મ કરવું જોઈએ, ફળની ઈચ્છા ના રાખવી જોઈએ. વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરવામાં આવે છે. કાર્ય કર્યા પહેલા પરિણામની અપેક્ષા રાખવાથી મન ભ્રમિત થઈ જાય છે અને યોગ્ય રીતે કામ થઈ શકતું નથી. 
 
ગુસ્સા પર કાબૂ રાખવો 
મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે, મનુષ્યનો સૌથી મોટો દુશ્મન તેનો ગુસ્સો છે. ગુસ્સામાં વ્યક્તિ પર સ્વ પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને આવેશમાં આવીને ખોટુ કામ કરી બેસે છે. આ કારણોસર ગુસ્સાને ખુદ પર હાવી ના થવા દેવો જોઈએ અને શાંત રહેવાની કોશિશ કરવી. 
 
આત્મ મંથન
વ્યક્તિને ખુદ કરતા વધુ કોઈ જાણતું નથી, આ કારણોસર સ્વ આકલન કરવું જરૂરી છે. પોતાના ગુણ અને અવગુણને જાણીને વ્યક્તિત્ત્વનું નિર્માણ કરવાથી તમામ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. 
 
અભ્યાસ કરવો
શ્રીકૃષ્ણએ ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો છે કે, મનુષ્યએ હંમેશા અભ્યાસ કરતા રહેવું જોઈએ. અભ્યાસ કરતા રહેવાથી મનુષ્યનું જીવન સરળ બની જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments