Biodata Maker

પીપળાની પૂજા સાંજે કેટલા વાગે કરવી જોઈએ ? ભૂલથી પણ આ સમયે ન કરશો પીપળાની પૂજા નહી તો પાણીની જેમ વહી જશે પૈસો

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (00:59 IST)
Peepala Ni Puja Kyare Karvi : સનાતન ધર્મમાં પીપળને પૂજનીય અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો અનુસાર પીપળની જડમાં ભગવાન વિષ્ણુ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં ભગવાન હરિ અને ફળોમાં તમામ દેવતાઓનો વાસ છે. એટલા માટે તેની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં આવતા કષ્ટો અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત પાપકર્મોથી પણ મુક્તિ મળે છે. જો પીપળાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ વરસાવે છે. બીજી તરફ, શનિવારે સવારે નિયમિતપણે પીપળાને જળ અર્પણ કરવું અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે.
 
આ સમયે  ન કરવી પીપળાની પૂજા
 
ક્યારેય પણ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષની પૂજા બિલકુલ પણ ન કરવી જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા અલક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે, જે દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા કરો છો તો ઘરમાં હંમેશા દરિદ્રતા અને જીવનમાં સમસ્યાઓ રહે છે. એટલા માટે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા ન કરવી જોઈએ અને ન તો આ વૃક્ષની નજીક જવું જોઈએ. આટલું જ નહીં રવિવારે પીપળાના ઝાડને ક્યારેય પણ જળ ચઢાવવું નહીં. 
 
પીપળાની પૂજા ક્યારે કરવી જોઈએ?
 
શાસ્ત્રો અનુસાર પીપળાની પૂજા હંમેશા સૂર્યોદય પછી જ કરવી જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પીપળાના ઝાડની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે શત્રુઓનો પણ નાશ થાય છે. આ પૂજા કરવાથી ગ્રહદોષ, વિઘ્નો, કાલસર્પ દોષ, પિતૃદોષ પણ શાંત રહે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments