rashifal-2026

અન્ય રાજ્યોમાંથી પરમિશન લઈને ગુજરાત આવેલા 60 પૈકી 12 તબલીગીઓ પોઝિટિવ

Webdunia
ગુરુવાર, 14 મે 2020 (14:34 IST)
રાજ્યમાં મંજૂરી સાથે અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 60 પૈકી 12 જમાતીઓ કોરોના પોઝિટિવ જણાયા હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. આ તમામ જમાતીઓ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવ્યા હતા અને ક્વોરન્ટીનમાં રખાયા હતા. ઝાએ કહ્યું કે, તબલીગી જમાતના ઘણા લોકો બહારના રાજ્યોમાંથી મંજૂરી સાથે ગુજરાત પરત આવ્યા હતા જેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. 9મી મેના રોજ આંધ્રપ્રદેશથી તબલીગી જમાતના 23 લોકો જૂનાગઢ જિલ્લામાં આવ્યા હતા અને ત્યાં ક્વોરન્ટીન કરાયા હતા. જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો છે. 8મી મેના રોજ મહારાષ્ટ્રથી તબલીગી જમાતના 28 લોકો મંજૂરીથી ગુજરાત પરત ફર્યા બાદ અલગ અલગ જગ્યાએ તેમને ક્વોરન્ટીન કરાયા હતા. તે પૈકી ભાવનગરમાં 10 વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયા છે. 7મી મેના રોજ તબલીગી જમાતના 9 લોકોએ આંધ્રપ્રદેશથી મંજૂરી મેળવીને વડોદરા આવ્યા હતા જે પૈકી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાઇ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments