rashifal-2026

ટિકીટના નામે શ્રમિકો સાથે ઠગાઈ થતા ભૂખ્યાં-તરસ્યાં વતન રવાના

Webdunia
ગુરુવાર, 14 મે 2020 (13:53 IST)
ટ્રેન ટિકીટ બુકિંગના નામે કોઇ ચીટરે 800-800 રૂપિયા ખંખેરી લેતાં પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકો કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશા માં 40 ડિગ્રી ગરમીમાં ભુખ્યા તરસ્યા ઘરેથી નિકળી પડ્યા છે.  લોકડાઉન પછી સૌથી દયનીય હાલત શહેરમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની થઇ છે. લોકડાઉન 1 અને લોકડાઉન 2 સુધી તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા રસોડા ચલાવતાં ભોજનની વ્યવસ્થા થઇ જતી હતી. પરંતુ લોકડાઉન 3 પછી મોટાભાગના રસોડાઓ બંધ થઇ ગયા છે. જેના કારણે ભૂખમરાની સ્થિતિનો ઘણા શ્રમિકો સામનો કરી રહ્યા છે. જેથી શ્રમિકોએ હવે વતન જવાની વાટ પકડી છે. સરકારે પરપ્રાંતિયોને વતન મોકલવા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. પરંતુ ટ્રેન બુકિંગની વ્યવસ્થાથી અજાણ શ્રમિકોને ખંખેરી લેવા કેટલાક ચિટરો મેદાનમાં ઉતર્યા છે. પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકોને યુ.પી ઇલાહાબાદની ટ્રેનની ટિકીટ બુક કરાવવાના નામે એક શખ્સે 800-800 રૂપિયા ખંખેરી લીધા હતા. જો કે ટિકિટ બુક કરવાના નામે આ શખ્સે રૂપિયા ગજવે ગાલી જતાં લાચાર શ્રમિકો હવે પગપાળા જ કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશામાં 40 ડિગ્રી ગરમીમાં નિકળી પડ્યા હતા.  સુરત-કડોદરા રોડ પર સારોલી પાટિયા પાસે બુધવારે બપોરે ભુખ્યાં તરસ્યાં નેશનલ હાઇવે નં 8 તરફ જઇ રહેલા સોનું નામના શ્રમિકે જણાવ્યું કે હવે અમારી પાસે પુરતા રૂપિયા પણ નથી વતન જવાના. ભુખ્યાં તરસ્યા અમે સવારથી પંડોળથી કડોદરા હાઇવે તરફ જવા નિકળ્યા છે. સુરતમાં અમને જમવાનું મળતું નથી. પગાર નથી થતોને બીજી તરફ રહેવા માટે ભાડા માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં સુરતમાં હજુ વધારે દિવસ રહીશું તો ભુખમરામાં જ મરી જઇશું. વતન જઇશું તો અમને રહેવા-જમવાની તો વ્યવસ્થા થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

આગળનો લેખ
Show comments