Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રા કાઢવા મુદ્દે બજરંગદળના પ્રમુખ સહિત 6ની અટકાયત

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (14:46 IST)
અમદાવાદમાં રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના અર્જુન ભગત આશ્રમ પર હાલ તેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,બજરંગદળે અમદાવાદમાં રથયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારતા પોલીસ હરકતમાં આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા ન કાઢવાના આદેશ કરતાની સાથે AHPના પ્રમુખ નિકુંજ પારેખ, પ્રદેશ મંત્રી સહિત 6ને પોલીસે ડિટેઇન કર્યા છે. અર્જુન આશ્રમથી જગન્નાથ મંદિર રજૂઆત કરવા જવાના હોવાથી આશ્રમ પર બંદોબસ્ત ગોઠવાયો છે. મળતી માહિતી પ્રમાણે, આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદનાં રાષ્ટ્રીય બજરંગ દળનાં ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ નીકુંજભાઇ પારેખની રવિવારે મોડીરાત્રે 1 કલાકે ધરપકડ કરવામાં આવેલ છે જે જણાવ્યું નહોતું. નીકુંજભાઇ પારેખે રથયાત્રા નહી કાઢવા બાબતના હાઇકોર્ટનાં આદેશ સામે વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવી જ જોઇએ અને આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ રથયાત્રા કાઢવા માટે જગન્નાથ મંદીર ટ્રસ્ટને સમર્થન આપશે અને જેના માટે તારીખ 22.06.2020ના રોજ સવારે 10.30 કલાકે જગન્નાથ મંદીર ખાતે મિટીંગનુ આયોજન કરેલ છે. ઉપરાંત અર્જુન ભગત આશ્રમ, ચાંદલોડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ખડકકો કર્યો છે, અને કોઇપણ વ્યક્તિને આશ્રમની બહાર નીકળવા દેતા નથી અને અંદર આવવા દેતા નથી. ગુજરાત પોલીસ શા માટે આ કાર્યવાહી કરી રહી છે જે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા ઉપર રોક લગાવીને અને ગુજરાત પોલીસ દ્વારા અર્જુન ભગત આશ્રમ જેવા પવિત્ર સ્થાને કોઇપણ કારણો વિના પોલીસનો ખડકલો કરીને હિંદૂઓને ફરી મુગલ શાસનની યાદ અપાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments