Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ, મંદિરમાં ગજરાજોનું આગમન

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (14:32 IST)
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાને લઇને ગુજરાત હાઇકોર્ટે રોક લગાવ્યા બાદ મંદિરના અધિકારીઓએ મંગળવારે મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મહંત દિલીપ દાસજી મહારાજએ કહ્યું હતું કે 143મી રથયાત્રાના સામાન્ય માર્ગ પર નિકાળવામાં નહી આવે.
 
બીજી તરફ આજે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં 11 ગજરાજોનું આગમન થયું હતું. ત્રણ ગજરાજોને આસામમાંથી લાવવામાં આવ્યા છે. આસામથી લાવવામાં આવેલા ગજરાજોને બલરામ, જાનકી, સુભદ્રા નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાગણમાં મુકવામાં આવ્યા છે. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લેશે.
 
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. લોકોને આજે  ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થઈ શકે છે. વર્ષમાં માત્ર એક જ વખત ભગવાનના સોનાના વસ્ત્રો સાથે દર્શન થતા હોય છે. કોરોના સંક્રમણને લઈને ભક્તોના પ્રવેશ પર મંદિરમાં પ્રતિબંધ છે.
 
 અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નિકળવાની છે. આ વર્ષે રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ ફરશે. મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે મંદિરમાં પોલીસ બંદોબસ્તનું રિબર્સલ કરાયું છે. મંદિરને બેરિકેટથી કોર્ડન કરવામાં આવ્યુ છે. મંદિરમાં દર્શન માટે બેરેક પણ બનાવાયા છે.
 
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને ઘરે બેસી મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને રથયાત્રા નહીં કાઢવાનો મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાના કારણે ગુજરાત હાઇકોર્ટે 23 જૂને નિકળનાર રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા 143મી રથયાત્રા નાના સ્તરે આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. મોટાપાયે રથયાત્ર ન કાઢીને ફક્ત મંદિર પરિસરની અંદર જ રથયાત્રા કાઢવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments