Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મમાં આ કારણે કરવામાં આવે છે પૂજામાં તાંબાનો ઉપયોગ

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (11:23 IST)
હિન્દુ ધર્મમાં ભગવાનની આરાધના કરવાને લઈને અનેક પ્રકારના નિયમ બતાવ્યા છે. આ નિયમોમાંથી એક છે પૂજા માટે તાંબાના વાસણનો પ્રયોગ કરવો. અનેક વિદ્વાનોનુ કહેવુ છે કે તાંબાથી બનેલ વાસણ એકદમ શુદ્ધ હોય છે.  એવુ એ માટે કારણ કે તેને બનાવવા માટે કોઈપણ અન્ય ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો. તાંબાના વાસણનો ઉપયોગ કરવા પાછળ એક કથાનુ વર્ણન કરવામાં આવ્યુ છે. કથા કંઈક આ પ્રકારની છે.  
 
વરાહ પુરાણ મુજબ પહેલાના સમયમાં ગુડાકેશ નામનો એક રાક્ષસ રહેતો હતો. રાક્ષસ હોવા છતા તે ભગવાન વિષ્ણુનુ ખૂબ મોટો ભક્ત હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તે ઘોર તપસ્યા કરતો હતો. રાક્ષસ દ્વારા કરવામાં આવેલ તપસ્યાથી પ્રસન્ન થઈને એક દિવસ વિષ્ણુજીએ તેની સામે પ્રકટ થયા અને એ રાક્ષસને વરદાન માંગવાનુ કહ્યુ. 
 
એ દરમિયાન ગુડાકેશે ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગતા કહ્યુ કે - તમારા ચક્રથી મારુ મૃત્યુ થાય અને મારુ આખુ શરીર તાંબાના રૂપમાં બદલાય જાય. એ તાંબાનો ઉપયોગ તમારી પૂજા માટે બનાવેલ વાસણમાં થાય અને એવી પૂજાથી આપ પ્રસન્ન થાવ. તેનાથી તાંબુ અત્યંત પવિત્ર ધાતુ બની જશે. 
 
ભગવાન વિષ્ણુએ રાક્ષસ ગુડાકેશને આ વરદાન આપ્યુ અને સમય આવતા ચક્રથી તેના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા.   જ્યારબાદ ગુડાકેશના માંસથી તાંબા, રક્તથી સોનુ, હાડકાથી ચાંદીનુ નિર્માણ થયુ. આ જ કારણ છે કે ભગવાનની પૂજા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments