Festival Posters

Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (10:32 IST)
સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.
 
મનોકામના પૂર્તિ માટે - સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.
 
અખંડ લક્ષ્મીના વાસ માટે - ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’  મંત્રની માળા કરવી.
 
બીમારીથી છુટકારા માટે - સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

Moong Dal Kachori - મગની દાળ કચોરી બનાવવાની રીત

Baby Boys Names- તમારા પુત્ર માટે આ નામો તેને દુનિયા જીતવામાં મદદ કરશે

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ

Sheetala Saptami Bhog List: શીતળા સાતમ પર વાસી અને ઠંડા ભોજનનો ભોગ કેમ લગાવાય છે ? જાણો શું શું ચઢાવવું

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments