Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pithori Amavasya 2021 - સોમવતી અમાસ પર કરી લો આ 7 ઉપાય, બદલાય જશે તમારુ ભાગ્ય

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (08:38 IST)
અમાસ એ પિતરોનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનુ તર્પણ કરવુ જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. 

 
2. આ દિવસે ભૂખ્યા જીવોને ભોજન કરાવવાનુ પણ મહત્વ છે.  જો શક્ય હોય તો ઓછામાં ઓછા એક ભિખારી અથવા ગાયને ભોજન કરાવો અથવા કોઈ નજીકના સરોવરમાં જઈને માછલીઓને ખાંડવાળા લોટની ગોળીઓ ખવડાવો. તેનથી ઘરમાં પૈસાની આવક શરૂ થઈ જાય છે. 
 
3. સોમવતી અમાસના દિવસે નજીકના કોઈ શિવમંદિરમાં જઈને શિવલિંગ પર જળ અને બિલિપત્ર ચઢાવો. ત્યારબાદ ત્યા બેસીને ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.  
 
4. સોમવતી અમાસના દિવસે ઘરના મંદિર અથવા ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા રૂ ના સ્થાન પર લાલ રંગ દોરાનો ઉપયોગ કરો. તેનાથી મા લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે. 
 
5. સોમવતી અમાસ પર દાનનુ અનંત ફળ મળે છે.  આ દિવસે યથાસંભવ કોઈ ગરીબની મદદ કરવી જોઈએ અને થોડી રોકડ રકમ દાન કરો. તએનાથી જન્મ કુંડળીના ખરાબ ગ્રહોની અસર સમાપ્ત થશે. 
 
6. અમાસના દિવસે સવારે સ્નાન પછી ચાંદીથી બનેલ નાગ-નાગિનની પૂજા કરો અને સફેદ ફૂલની સાથે વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તરત જ કાલસર્પયોગનો દોષ દૂર થઈ જાય છે.
 
7. અમાસની સાંજે પીપળો અથવા વડના ઝાડની પૂજા કરો ને ત્યા દેશી ઘી નો દીવો પ્રગટાવો  image

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments