Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sankashti Chaturthi Vrat July 2023: આજે સંકષ્ટી ચતુર્થી, જો તમે આ શુભ મુહુર્તમાં પૂજા કરશો તો ગણપતિ બાપ્પાની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થશે.

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (06:06 IST)
Sankashti Chaturthi Vrat July 2023:  દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પક્ષની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાની વિધાન છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. સંકષ્ટી ગણેશ ચતુર્થીનો અર્થ છે- સંકટોને હરનારી.  ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનારા છે. તેમની પૂજા શીધ્ર ફળદાયી માનવામાં આવી છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સંકષ્ટી ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રતની તિથિ, ચંદ્રોદયનો સમય, શુભ મુહુર્ત અને પૂજા વિધિ.
 
શુભ મુહુર્ત 
 
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ પૂજનનું શુભ મુહુર્ત  સાંજે 7.23 થી 8.25 સુધી 
ચંદ્રને અર્ધ્ય આપવાનો શુભ મુહુર્ત  રાત્રે 9.08 કલાકે  
 
સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત ક્યારે ?
 
પંચાંગ અનુસાર, સંકષ્ટી ચતુર્થી વ્રત 6 જુલાઈ 2023, ગુરુવારે મનાવવામાં આવશે. સંકષ્ટી  ચતુર્થી વ્રત નિમિત્તે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી રહેશે.
 
સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીના વ્રતની પૂજા વિધિ 
 
- સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને સ્નાન કરો.
- ત્યાર બાદ ગણપતિનું ધ્યાન કરતી વખતે પાટલા પર સ્વચ્છ પીળા રંગનું કપડું પાથરી તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો.
- ત્યાર બાદ ગંગાજળનો છંટકાવ કરીને આખી જગ્યાને પવિત્ર કરો.
- હવે ફૂલોની મદદથી ગણેશજીને જળ ચઢાવો.
- ત્યાર બાદ રોલી, અક્ષત અને ચાંદીની વર્ક લગાવો.
- સોપારીના પાનમાં લાલ રંગના ફૂલ, જનોઈ, ડૂબ, સોપારી, લવિંગ, એલચી અને થોડી મીઠાઈઓ ચઢાવો.
- આ પછી નારિયેળ અને ભોગમાં મોદક ચઢાવો.
- ગણેશજીને દક્ષિણા અર્પણ કરો અને તેમને 21 લાડુ ચઢાવો.
- બધી સામગ્રીઓ અર્પણ કર્યા પછી, ધૂપ, દીપ અને ધૂપથી ભગવાન ગણેશની આરતી કરો.
 
આ પછી આ મંત્રનો જાપ કરો-
 
વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ.
નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વકાર્યેષુ સર્વદા  
 
કે પછી  
 
ઓમ શ્રી ગણ ગણપતયે નમઃ નો જાપ કરો.
 
અંતમાં, ચંદ્રમાને આપેલા મુહૂર્તમાં અર્ઘ્ય અર્પણ કરીને તમારું વ્રત પૂર્ણ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments