Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vinayak Chaturthi Vrat 2023 - જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને ઉપાય

Vinayak Chaturthi Vrat 2023 - જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને ઉપાય
, ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (07:57 IST)
આજે વિનાયક ચતુર્થી છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુથીએ વિનાયક ચતુર્થી ઉજવાય છે. આ દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે ભગ વાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચતુર્થી તિથિ દર મહિને બે વાર આવે છે. જે ચતુર્થિ તિથિ અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહે છે. આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિનાયક ચતુર્થીના દિવસે થોડા ખાસ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
- જો ગણેશ ચતુર્થી પર શતાવરી ગણેશજીને શતાવરી અર્પણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
 
- આ દિવસે ભગવાન ગણેશને મેરીગોલ્ડ ફૂલો અર્પણ કરવાથી ઘરના ક્લેશ-ઝગડા ખતમ થાય છે. 
 
- જો આ દિવસે ભગવાન ગણેશને ચાંદીનો ચોરસ ટુકડો ચઢાવવામાં આવે છે, તો ઘરમાં સંપત્તિને લઈને ચાલી રહેલ વિવદ ખતમ થાય છે.
 
- આ દિવસે ગણેશજીને 5 ઈલાયચી અને 5 લવિંગ અર્પણ કરવાથી જીવનમાં પ્રેમ કાયમ રહે છે. આ સાથે જ પ્રેમ જીવનમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.
 
- આઠ મુખી રૂદ્રાક્ષ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને અર્પણ કરવો જોઈએ.
 
વિનાયક ચતુર્થી શુભ મુહૂર્ત  
 
ફાલ્ગુન શુક્લ પક્ષની ચતુર્થી તિથિ રાત્રે 1:54 થી શરૂ થાય છે (23 ફેબ્રુઆરી 2023)
ફાલ્ગુન શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે - બપોરે 12:30 વાગ્યે (24 ફેબ્રુઆરી 2023)
સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 06.05 થી 24 ફેબ્રુઆરી 2023, સવારે 02.00 થી 14.00
વિનાયક ચતુર્થી ઉપવાસની તારીખ: 23 ફેબ્રુઆરી 2023
 
વિનાયક ચતુર્થી વ્રત પૂજા વિધિ 
 
- સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- આ પછી સૂર્ય ભગવાનને જળથી અર્ઘ્ય ચઢાવો.
- વિનાયક ચતુર્થી ઉપવાસની પ્રતિજ્ઞા લો.
- મંદિરને સાફ કરો અને ગંગાના જળથી શુદ્ધ કરો.
- ગૌરીના પુત્ર ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરો.
- ગણપતિજીના ચિત્ર કે મૂર્તિ પર ફૂલ, માળા, દુર્વા, અક્ષત, સિંદૂર, ધૂપ, દીપક અર્પિત કરો.
- ગણેશજીને મોદક, નારિયેળ અથવા બૂંદીના લાડુ ચઢાવો.
- ગણપતિજીના પ્રિય સ્તોત્રનો પાઠ કરો.
- આ પછી, છેલ્લે ગણેશજીની આરતી કરો અને મંત્રોનો જાપ કરો.
 
આ ગણેશ મંત્રોનો જાપ કરો
 
वक्र तुंड महाकाय, सूर्य कोटि समप्रभ:। निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा।।
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्।।
 सिद्धिबुद्धि पते नाथ सिद्धिबुद्धिप्रदायिने। मायिन मायिकेभ्यश्च मोहदाय नमो नमः।।

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Holi 2023 - હોલિકા દહનના દિવસે કરો આ કામ, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી, માતા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ