Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2024: નિર્જલા એકાદશી પર બની રહ્યા છે 3 શુભ યોગ, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

Webdunia
સોમવાર, 17 જૂન 2024 (18:19 IST)
nirjala ekadshi

જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. 18 જૂનના રોજ 2024ના રોજ નિર્જલા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે.  પદ્મપુરાણમાં નિર્જલા એકાદશી વ્રત દ્વારા મનોરથ સિદ્ધ થવાની વાત કહેવામાં આવી છે.  આ અગિયારસના વ્રતને વિધિપૂર્વક કરવાથી બધી અગિયારસના વ્રતનુ ફળ મળે છે.  આ અગિયારસનુ વ્રત વિધિપૂર્વક કરવાથી બધા પ્રકારના રોગ નાશ પામે છે.  આવો જાણીએ કયા 3 શુભ યોગમાં આ એકાદશી રહેશે અને કયા કામ આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. 

 
એકાદશી તિથિ શરૂ - 17 જૂન 2024ના રોજ સવારે 04:43થી 
એકાદશી તિથિ સમાપ્ત - 18 જૂન 2024ના રોજ સવારે 06:24 સુધી. 
 
18 જૂનના રોજ રહેશે આ 3 શુભ યોગ 
 
શિવ યોગ - આ દિવસે રાત્રે 9 વાગીને 39 મિનિટ સુધી શિવયોગ રહેશે. 
 
સિદ્ધ યોગઃ શિવયોગ પછી સિદ્ધ યોગની સ્થાપના થશે.
 
ત્રિપુષ્કર યોગ: ત્રિપુષ્કર યોગ બપોરે 3:56 થી બીજા દિવસે સવારે 5:24 સુધી ચાલશે. 
 
નિર્જલા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ કામઃ
 
1. આ દિવસે ભાત ન ખાવા જોઈએ. કારણ કે એવુ કહેવાય છે કે ભાત ખાનારો આવતા જન્મમાં કીડા મકોડાના રૂપમાં જન્મ લે છે.  
2. આ દિવસે મીઠુ ન ખાવુ જોઈએ. આ દિવસે સાત્વિક ફળાહાર જ કરવુ જોઈએ.  
3. આ દિવસે મસૂરની દાળ, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, સલગમ, કોબી અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. દારૂ સહિત તમામ પ્રકારના માદક દ્રવ્યોથી પણ દૂર રહેવુ જોઈએ. 
4. એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તેને હાથ પણ ન લગાવવોજોઈએ. કારણ કે આ દિવસે તુલસી માતા વ્રત પર રહે છે.
5. આ દિવસે વ્રત કરતી વખતે કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન કરવો જોઈએ. કોઈની ચાડી કરવાથી માન સન્માનમાં કમી આવી શકે છે.    આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ. દરેક પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments