Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોટકા - લાલ કિતાબના આ ઉપાયો તમને જરૂર ધન સંપત્તિ અપાવશે

ટોટકા
Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:28 IST)
- લોખંડના પાત્રમાં પાણી,ખાંડ, ઘી અને દૂધનુ મિશ્રણ બનાવી પીપળાના વૃક્ષની જડમાં અર્પિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.  
 
- કાચી ધાણીના તેલથી દીવો પ્રગટાવો તેમા લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. બધા વિધ્નોનો નાશ થશે અને ધન પ્રાપ્તિના સાધન બનવા લાગશે.  
 
- ધનહાનિ થઈ રહી હોય તો ગુરૂવારના દિવસે મુખ્ય દ્વાર પર ગુલાબથી સુંદર રંગોળી બનાવો અથવા ગુલાલનો છાંટીને દેશી ઘીનો બે મુખવાળો દીવો પ્રગટાવો. જ્યારે દીપકની જ્યોતિ મોટી થાય ત્યારે તેને વહેતા પાણીમાં વહાવી દો. 
 
- મુઠ્ઠી ભરીને કાળા તલ લઈને ઘરના બધા સભ્યોના માથા પરથી સાત વાર ફેરવી ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો. ધનહાનિ સમાપ્ત થઈ જશે. 
 
- ઘરમાંથી ધનનો અભાવ દૂર કરવા માટે ઘરમાં સોનાનો ચોરસ સિક્કો મુકો. રોજ કૂતરાને દૂધ પીવડાવો. ઘરના બધા રૂમમાં મોર પંખ મુકો. 
 
- આર્થિક તંગીથી કંટાળી ગયા છો તો મંદિરમાં કેળાના બે છોડ (નર-માદા)નુ રોપણ કરો.  
 
- મા લક્ષ્મીના શ્રી સ્વરૂપ સામે નવ બત્તીવાળો ઘી નો દીપક પ્રગટાવવાથી ધન લાભ થવા માંડે છે. 
 
- વેપારમાં રાત દિવસ પ્રગતિ કરવા માટે શુક્લ પક્ષના પ્રથમ બુધવારે સફેદ કપડાના ઝંડાને પીપળાના વૃક્ષ પર લગાવો.  
 
- ઘરમાં સુખ સમૃદ્ધિનો સમાવેશ કરવા માટે ઉત્તર પશ્ચિમી ખૂણામાં માટીના વાસણમાં થોડા સોના ચાંદીના સિક્કા કોઈ લાલ કપડામાં બાંધીને મુકી દો. પછી એ વાસણને ઘઉં કે ચોખાથી ભરી દો.   
 
- ઘરમાં વાદ વિવાદ અને ઝગડાઓથી મુક્તિ મેળવવા માટીના ઘડા પર લાલ રંગનુ પેંટ કરીને તેના મોઢા પર લાલ દોરો બાંધી અને તેની વચ્ચે નારિયળ મુકીને તેને વહેતા પાણીમાં પધરાવી દો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments