Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:38 IST)
ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.  સવારે અને સાંજના સમયે કરવામાં આવતી આરતી અને પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ ભગવાનની પૂજામાં સૌથી વધુ મહત્વપુર્ણ નિયમ છે દીવો પ્રગટાવવો. દીવા સિવાય કોઈપણ પ્રકારની પૂજા કર્મ અધૂરા જ માનવામાં આવે છે.  સાંજ થતા પહેલા દીવો પ્રગટાવી લેવાથી ઘર-પરિવાર પર પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
દીવો પ્રગટાવવાથી અંધારામાં પ્રકાશ પથરાય જાય છે. પ્રકાશ જ્ઞાનનો ઘોતક છે અને અંધારુ અજ્ઞાનનું, જ્ઞાન એ આંતરિક અજવાળુ છે જેનાથી બહારના અંધારા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેથી દીવો પ્રજવલ્લિત કરી આપણે જ્ઞાનના એ સાગર સામે નતમસ્તક થઈએ છીએ. 
 
દીવાનુ મહત્વ છે કે દીવાની અંદર જે ઘી કે તેલ હોય છે તે આપણી વાસનાઓ, આપણા અહંકારનું પ્રતીક છે અને દીવાની વાટ દ્વારા આપણે આપણી વાસનાઓ અને અહંકારને સળગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ છીએ. બીજી મહત્વપુર્ણ વાત એ છે કે દીવાની વાટ કાયમ ઉપરની તરફ ઉઠે છે જે દર્શાવે છે કે આપણે જીવનને જ્ઞાન દ્વારા ઉચ્ચ આદર્શો તરફ વધારવા જોઈએ. 
 
કોઈપણ મંગલ કાર્ય શરૂ કરતા પહેલા દીવાને પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી જ સૌભાગ્ય અને સફળતાઓ મળે છે. 
 
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments