Publish Date: Sat, 08 Sep 2018 (18:03 IST)
Updated Date: Sat, 08 Sep 2018 (18:12 IST)
ખાસ ઉપાય ધન કમાવતા પહેલા અજમાવો
માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળપર કે કર્મના બળ પર, પણ ક્યારે ક્યારે બન્ને જ બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળરામ કાં તો ધર્મના કરો કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે,કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી દરરોજ સવારે સાંજે ઘીનો દીપક પ્રગટાવે છે અને કેટલાક લોકો દરકે શુક્ર્વારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મિઠાઈ ચઢાવે છે, પણ અહીં પ્રસ્તુત છે 5 ખાસ ઉપાય
1. લક્ષ્મીના પ્રતીક કૉડીઓ- પીળી કોડીને દેવી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. કેટલીક સફેદ કોળીને કેસર કે હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડીઓ સિવાય એક નારિયેળની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી નાખો.
2. શંખનો મહ્ત્વ- શંખ સમુદ્ર મંથનના સમયે મળેસ ચોદ અનમોળ રત્નમાં થી એક છે. લક્ષ્મીની સાથે ઉતપન્ન હોવાના કારણે તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવાય છે. આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખવું.
3. પીપળની પૂજા- દર શનિવારે પીપળને જળ ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
4. ઈશાન કોણ- ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોઈ શકે તો ત્યાં એક જળથી ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળ કળશ પણ મૂકી શકો છો.
5. વાંસળી રાખો ઘરમાં - બાંસ નિર્મિત વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું રહે છે અને સાથે જ સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.