rashifal-2026

પિતૃ દોષ કેવી રીતે લાગે છે? જાણો તેને કેવી રીતે ઓળખશો, પિતૃ દોષ મુક્તિના ઉપાય

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2023 (00:22 IST)
pitru dosh
Pitra Dosh: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પિતૃ દોષના ઘણા કારણો છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી, તેના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવે અથવા જો તે વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય, તો તે વ્યક્તિ સાથે સંકળાયેલા પરિવારને પિતૃ દોષનો સામનો કરવો પડે છે. આ માત્ર એક પેઢીમાં નહીં પણ પેઢી દર પેઢી ચાલુ રહે છે. જાણો પિતૃ દોષના લક્ષણો અને ઉપાયો. 
 
પિતૃદોષના લક્ષણો
 
- પિતૃ દોષને કારણે વેપાર કે નોકરીમાં કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે.
- લગ્નજીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી શકે છે અથવા લગ્ન પછી વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે.
- જો કોઈ દંપતી અનેક ઉપાયો કરીને પણ સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત રહે છે. અથવા જન્મેલ બાળક મંદબુદ્ધિ, વિકલાંગ વગેરે હોય અથવા બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામે.
- જો ઘરમાં રહેતા લોકો વચ્ચે કોઈ મુદ્દા પર વાદ-વિવાદ થાય છે, તો તે પિતૃ દોષને કારણે થઈ શકે છે.
ઘરમાં હાજર કોઈપણ સભ્યની માંદગી.
-  પિતૃદોષના કારણે વ્યક્તિને અકસ્માતનો પણ સામનો કરવો પડે છે.
 
પિતૃ દોષ કેવી રીતે લાગે છે?
 
- જો મૃત્યુ પછી અંતિમ સંસ્કાર વિધિ મુજબ કરવામાં ન આવે તો પિતૃ દોષ લાગે છે.
- અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને ઘણી પેઢીઓ સુધી પિતૃ દોષનો સામનો કરવો પડે છે.
- માતા-પિતાનું અપમાન કરવું અને તેમના મૃત્યુ પછી પરિવારના સભ્યોના પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધ ન કરવાથી સમગ્ર પરિવાર પર પિતૃદોષ આવે છે.
- સાપને મારવાને કારણે. પિતૃ દોષનો સંબંધ સાપ સાથે છે.
- પિતૃઓનું શ્રાદ્ધ ન કરવું.
- પીપળો, લીમડો અથવા વડનું ઝાડ કાપવું.
 
પિતૃ દોષનો ઉપાય
 
- પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે વિધિ પ્રમાણે તર્પણ અને શ્રાદ્ધ કરો. બ્રાહ્મણોને ભોજન અને દાન આપો. તેમજ વર્ષની દરેક એકાદશી, ચતુર્દશી, અમાવસ્યાના દિવસે પિતૃઓને જળ ચઢાવો અને ત્રિપંડી શ્રાદ્ધ કરો.
- તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે દરરોજ બપોરના સમયે પીપળના વૃક્ષની પૂજા કરો.
- પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના જળમાં કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ ચઢાવો. પિતૃદોષને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે.
- પિતૃ પક્ષમાં દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. તમે દરરોજ પણ આ કરી શકો છો.
- કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી, ગરીબ કન્યાના લગ્નમાં દાન કે મદદ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આમ કરવાથી પિતૃદોષ શાંત થવા લાગે છે.
- ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવો. તમારી ભૂલો માટે દરરોજ તેમની પાસેથી ક્ષમા માગો. કહેવાય છે કે તેનાથી પિતૃ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

2026 ના વ્રત તહેવાર - 2026 માં ક્યારે આવશે હોળી-નવરાત્રી-દિવાળી ?

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments