Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (00:13 IST)
ગણેશ ઉત્સવના દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે અને કાર્યોમાં આવતા અવરોધ પણ દૂર થાય છે.  આજે અમે તમને ગણેશજીના એવા કેટલાક મંત્રો જણાવીશુ જેનો જાપ  ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ....
 
ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે. તેમાં પણ આવતી કાલે છે ગણેશ ચતુર્થીનો પર્વ તો આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની શુભ શરૂઆત તમે કરી શકો છો.
 
ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ઘરમાં શ્રીગણેશ પધાર્યા હોય તો રોજ આ મંત્રનો જાપ જરૂર કરો. તેવી જ રીતે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર
 
1.  ઈચ્છાપૂર્તિ માટેનો મંત્ર - માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
 
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા
 
2. જીવનના અવરોધો અને નિરાશા દૂર કરવા -  નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજના આ મંત્રનો જાપ કરો 
 
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:
 
3. ધન અને આત્મબળ વધારવા -  વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે શ્રી ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. 
ॐ ગં નમ:
 
4. રોજગાર માટે -  રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવો.
 
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments