Dharma Sangrah

પીપળાની પૂજા સાંજે કેટલા વાગે કરવી જોઈએ ? ભૂલથી પણ આ સમયે ન કરશો પીપળાની પૂજા નહી તો પાણીની જેમ વહી જશે પૈસો

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (00:59 IST)
Peepala Ni Puja Kyare Karvi : સનાતન ધર્મમાં પીપળને પૂજનીય અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો અનુસાર પીપળની જડમાં ભગવાન વિષ્ણુ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં ભગવાન હરિ અને ફળોમાં તમામ દેવતાઓનો વાસ છે. એટલા માટે તેની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં આવતા કષ્ટો અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત પાપકર્મોથી પણ મુક્તિ મળે છે. જો પીપળાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ વરસાવે છે. બીજી તરફ, શનિવારે સવારે નિયમિતપણે પીપળાને જળ અર્પણ કરવું અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે.
 
આ સમયે  ન કરવી પીપળાની પૂજા
 
ક્યારેય પણ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષની પૂજા બિલકુલ પણ ન કરવી જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા અલક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે, જે દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા કરો છો તો ઘરમાં હંમેશા દરિદ્રતા અને જીવનમાં સમસ્યાઓ રહે છે. એટલા માટે સૂર્યોદય પહેલા પીપળાની પૂજા ન કરવી જોઈએ અને ન તો આ વૃક્ષની નજીક જવું જોઈએ. આટલું જ નહીં રવિવારે પીપળાના ઝાડને ક્યારેય પણ જળ ચઢાવવું નહીં. 
 
પીપળાની પૂજા ક્યારે કરવી જોઈએ?
 
શાસ્ત્રો અનુસાર પીપળાની પૂજા હંમેશા સૂર્યોદય પછી જ કરવી જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પીપળાના ઝાડની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે શત્રુઓનો પણ નાશ થાય છે. આ પૂજા કરવાથી ગ્રહદોષ, વિઘ્નો, કાલસર્પ દોષ, પિતૃદોષ પણ શાંત રહે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આગળનો લેખ
Show comments