Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રાણાયામ એ ધારણા, ધ્યાન અને સમાધિનું પ્રવેશ દ્વારઃ ભાણદેવજી

Webdunia
' સર સયાજીરાવ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન યોગ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝીક એન્ડ એલાઇડ સાયન્સીસ' (યોગનિકેતન) દ્વારા વિશ્વ પ્રખ્યાત યોગ ગુરુ અને હિંદુ ધર્મ ગ્રંથો, વેદો, ઉપનિષદો તથા યોગ વિશે સેંકડો પુસ્તકો લખનાર ભાણદેવજીની પ્રાણાયામ અને ધ્યાન વિષય પર સાત દિવસની શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સેંકડો શિબીરાર્થીઓ યોગનિકેતન ખાતે તેમની આ શિબીરનો લાભ લઇ રહ્યાં છે. શિબીરના પ્રથમ દિવસે ભાણદેવજીએ તમામ શિબીરાર્થીઓને પ્રાણાયામ વિશે માહીતી આપતાં જણાવ્યુ હતું કે 'પ્રાણાયામનો અર્થ ખોટો ન કરવો જોઇએ.

પ્રાણાયામ એ કોઇ શ્વાસની કસરત કે શ્વાસાયામ નથી એ પ્રાણનો સંચાર છે માટે તેને પ્રાણાયામ કહે છે. યોગમાં પ્રાણાયામનું ખુબ મહત્વ એટલે છે કે ધારણા, ધ્યાન અને સમાધિનું તે પ્રવેશ દ્વાર છે. પ્રાણાયામ કરતી વખતે ખુબ જ સાચી રીત હાજર હોવી જરુરી છે. જો સાચી રીતે પ્રાણાયામ થાય તો તે અશુધ્ધી બાળે છે.

પરંતુ ખોટી રીતે થાય તો તે તમને બાળી નાંખશે જે ઉદાહરણ સાથે સાબિત થયું છે. ઉપરાંત લાગણીઓ અને શ્વાસને ઉંડો સબંધ છે અને માટે જ સુખ કે દુઃખની લાગણી ઉદ્ભવતાં તે સૌ પ્રથમ તમારા શ્વાસોચ્છવાસની ક્રિયાપર અસર કરે છે. ગમે તેની પાસે અથવા અયોગ્ય જગ્યાએ પ્રાણાયામ શીખવા કે શીખવવા એ ગુનો છે કારણ કે યોગ-પ્રાણાયામ કોઇ બજારુ વિદ્યા નથી.' પ્રથમ દિવસે ભાણદેવજીએ શિબિરાર્થીઓને ઉજ્જયી પ્રાણાયામનાં સરળ અને શાસ્ત્રીય એમ બે પ્રકારની શિક્ષા આપી હતી.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments