Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holashtak 2022- હોળાષ્ટક ક્યારે ? જાણો હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્ય વર્જિત થવાના પૌરાણિક અને જ્યોતિષીય કારણ

Webdunia
ગુરુવાર, 10 માર્ચ 2022 (10:28 IST)
શાસ્ત્રો મુજબ ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી હોલિકા દહન સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 10-17 માર્ચ સુધી છે. ધાર્મિક માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમિયાન લગ્ન-વિવાહ, મુંડન સંસ્કાર, ગૃહ પ્રવેશ, ભવન નિર્માણ અને નવો વ્યવસાય વગેરે માંગલિક કાર્ય વર્જિત હોય છે. કોઈપણ પ્રકારના હવન, યજ્ઞ કર્મ પણ આ દિવસો દરમિયાન નથી કરવામા આવતુ.  આ ઉપરાંત નવ વિવાહિતોને આ દિવસો દરમિયાન પિયર રહેવાની સલાહ આપવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો પર રોક હોવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને કારણ માનવામાં આવે છે. 
 
પૌરાણિક કથા - પૌરાણિક કથા મુજબ કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી. જેથી નારાજ થઈને તેમણે પ્રેમના દેવતાને ફાગણની અષ્ટમી તિથિના દિવસે ભસ્મ કરી નાખ્યા હતા. ત્યારબાદ કામદેવની પત્ની રતિએ શિવની આરાધના કરી અને કામદેવને પુર્નજીવિત કરવાની વિનંતી કરી, જે તેમણે સ્વીકારી લીધી. ભગવાન શિવના આ નિર્ણયને ભક્તોએ ધૂમધામથી ઉજવ્યો. આ કારણે 8 દિવસ શુભ કાર્ય વર્જિત હોય છે. 
 
જ્યોતિષિય કારણ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ અષ્ટમીના રોજ ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીના રોજ શુક્ર, દ્વાદશીના રોજ ગુરૂ, ત્રયોદશીના રોજ બુધ, ચતુર્દશીના રોજ મંગળ અને પૂર્ણ્ણિમાના રોજ રાહુ ઉગ્ર સ્વભાવના થાય છે. ગ્રહ નક્ષત્રના કમજોર થવાને કારણે આ દરમિયાન જાતકની નિર્ણય ક્ષમતા ઓછી થઈ જાય છે. જેનાથી ખોટા નિર્ણયથી નુકશાન શક્ય રહે છે. 
 
હોળાષ્ટક દરમિયાન શિવ અને કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. હોળાષ્ટકમાં પ્રેમ અને આનંદ માટે કરવામાં આવેલા બધા પ્રયાસ સફળ થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

આગળનો લેખ
Show comments