Webdunia - Bharat's app for daily news and videos

Install App

ODI World Cup 2023 Points Table : ટીમ ઈંડિયા ટૉપ પર, પણ આ છે ટેંશનની વાત

ICC World Cup 2023 Points Table
Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (14:13 IST)
ODI World Cup 2023 Points Table : આઈસીસી વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ફરી નંબર વન પર કબજો જમાવ્યો છે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ટોપ પર હતું. મતલબ કે મેચ નંબર વન અને નંબર ટુ વચ્ચે થઈ હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે. ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી પાંચમાં જીત મેળવી છે અને આ વાત  ચોક્કસ છે કે સેમીફાઈનલ સુધીનો રસ્તો ક્લિયર થઈ જશે તેવી પૂરી સંભાવના છે. પરંતુ હવે સવાલ એ છે કે જો ટીમ ઈન્ડિયા નંબર વન પર ચાલી રહી છે તો ટેન્શન શેનું છે. તો ચાલો આ વિશે ડિટેલ્સમાં જાણીએ 
 
 
વનડે ODI વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ પાંચમાંથી પાંચ મેચ જીતીને નંબર વન પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ પાંચમાંથી ચાર મેચ જીતીને બીજા સ્થાને છે. પરંતુ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા ઓછો છે. ભારતીય ટીમનો નેટ રન રેટ હાલમાં +1.353 છે, જ્યારે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેનો નેટ રન રેટ +1.481 છે. ભારતના દસ પોઈન્ટ અને ન્યુઝીલેન્ડના આઠ પોઈન્ટ છે. આ જ કારણ છે કે ભારતીય ટીમ નંબર વન અને ન્યુઝીલેંડ નંબર બે પર છે.  ત્યારબાદ સાઉથ આફ્રિકા છે. જેને ચારમાંથી 3 મેચ જીત્યા છે, અને એક માં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા નંબર ચાર પર છે અને તેની ચારમાંથી બે જીત અને બે હાર છે.  
 
બે ટીમોના સમાન અંક હોવાથી ફંસાઈ જશે નેટ રન રેટનો મામલો 
 
હવે પરેશાનીની વાત એ છે કે પહેલા તો ભારતીય ટીમનો નેટ રન રેટ ન્યુઝીલેંડથી ઓછો છે. બધા જાણે છે કે જ્યારે લીગ ચરણનુ સમાપન થશે ત્યારે જે ચાર ટીમો ટૉપ પર રહેશે એ સેમીફાઈનલમાં જશે અને બાકી 6 ટીમોનો આ વિશ્વકપ સમાપ્ત થઈ જશે.  ત્યારબાદ નંબર એક ટીમનો મુકાબલો ચાર સાથે થશે. બીજી બાજુ નંબર બે ની ટીમ ની મેચ ત્રણ નંબરની ટીમ સાથે થશે.  જો બે ટીમોના પોઈન્ટ સમાન રહેશે તો નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે કે કઈ ટીમ આગળ છે અને કઈ પાછળ છે. આવી સ્થિતિમાં, દરેક ટીમ નંબર વન પર સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેને ચોથા ક્રમની ટીમ સાથે સ્પર્ધા કરવી પડે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે જરૂરી છે કે તે માત્ર પોઈન્ટ જ નહીં વધારશે પરંતુ નેટ રન રેટ પર પણ નજર રાખે, જેથી આગળ જતા કોઈ મુશ્કેલી ન આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments