Dharma Sangrah

શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?

Webdunia
દરેક બાજુ લહેરાતો તિરંગો, બાળકોથી લઈને વૃધ્ધોમાં જોશ, જનૂન, ભવિષ્ય માટે સોનેરી સપના. આ બધુ યાદ અપાવે છે તે બલિદાનોની જે લાખો હિન્દુસ્તાનીઓએ અમારે આઝાદીને માટે આપી હતી. સ્વતંત્રતા શ્વાસ લેવાની, સ્વતંત્રતા વિચારવાની, વિચારો વ્યક્ત કરવાની, મૂળભૂત અધિકારોની સ્વતંત્રતા, નિર્ણય લેવાની સ્વતંત્રતા. 

આજે જ્યારે દેશની આઝાદીને અડધી સદીથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે શુ ભારતની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે ? સિક્કાની એક બાજુ એ છે કે ભારતીય મહિલાઓએ કલાથી લઈને વિજ્ઞાન સુધી અભૂતપૂર્વ ઉન્નતિ સાધી છે. આજે એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પુરૂષના ખભા સાથે ખભો મેળવી ચાલી ન રહી હોય. દિલ્હી ગેંગરેપ પછી લોકો જાગૃત તો થઈ ગયા પણ શુ આ બળાત્કાર નામનો આત્યાચાર રોકાયો ? એવુ લાગે છે કે જેમ જેમ સમાજ શિક્ષિત થઈ રહ્યો છે તેમ તેમ બળાત્કારના કેસ વધતા ગયા છે. આજે મહિલાઓ જ નહી નાનકળી કુમળી વયની બાળાઓ પર આવા રાક્ષસો ગંદી નજર નાખી રહ્યા છે. શુ આજનો સમાજ નારી માટે રહેવા લાયક છે ખરો ? નારી વગર જીવન જ શક્ય નથી તો પછી નારી વગર સમાજ કેવી રીતે શક્ય બનશે ?

કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે.

દહેજ માટે તેને સળગાવવી, અંધવિશ્વાસોને કારણે સ્ત્રીને ચુડેલ માનીને તેને પૂર્ણ નગ્ન કરીને મારવી, સતી પ્રથા વગેરેની ઘટનાઓ અવાર-નવાર થતી રહે છે, અને આપણે જો શિક્ષિત પરિવારની વાત કરીએ તો એક જ પુત્રી હોવાથી આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે અમે તો અમારી છોકરીને છોકરાની જેમ જ ઉછેરી છે. શુ માતા પિતા પણ આવી વાતો કરીને છોકરાને છોકરીથી ઉંચુ પદ નથી આપી રહ્યા ? છોકરીના જીવન સાથે સંકળાયેલા મોટાભાગના નિર્ણયો માતા-પિતા જ લે છે.

કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે.

પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શુ આ જ આપણી સ્વતંત્રતા છે ? આમા દોષી કોણ છે, પુરૂષ, મહિલા કે સ્વયં સમાજ ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

વધુ જુઓ..

ધર્મ

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments