rashifal-2026

પતિ-પત્ની બેવફા કેમ થઈ જાય છે ?

Webdunia
ગુરુવાર, 9 જુલાઈ 2015 (13:04 IST)
લગ્નમાં બેવફાઈનુ શુ કારણ છે. તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ 10 ટકા છુટાછેડા પાર્ટનરની બેવફાઈને કારણે થાય છે. પતિ-પત્ની આ કારણથી પોતાના રસ્તા જુદા જુદા કરી લે છે. આ સ્વાભાવિક છે પણ અનેક લોકોના સંબંધો એ માટે ખરાબ થઈ જાય છે  કારણ કે તેઓ એકબીજાને દગો આપે છે. આ ખૂબ ચોંકાવનારુ લાગ્યુ પણ હકીકત એ છેકે ઘણા અસંતુષ્ટ પાર્ટનર પોતાના મિત્રથી જુદા થતા પહેલા તેને દગો આપે છે. પુરૂષો દ્વારા દગો આપવો અને સ્ત્રીઓ દ્વારા દગો આપવો એ બંને જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક પુરૂષ તો આ સંબંધ ઉપરાંત બહાર મજા લેવા માટે જ પોતાની પત્ની સાથે દગો કરે છે. 
 
કેટલાક પુરૂષ જ્યા સુધી પરેશાનીમાં નથી પડતા ત્યા સુધી શરમ અનુભવતા નથી. જ્યા સુધી મહિલાઓનો સવાલ છે તો તે પોતાના સાથીને વિશેષ કરીને ત્યારે દગો આપે છે જ્યારે તે પોતાની જાતને સંબંધોમાં ભાવનાત્મક રૂપે એકલી અનુભવે છે. સ્ત્રી પુરૂષોમાં દગો આપવાની રીત અને આદત જુદી જુદી હોઈ શકે છે. પણ દગો દેવા પાછળનો ઉદ્દેશ્ય લગભગ એક જેવો જ હોય છે. અમે તમને કેટલાક કારણ બતાવી રહ્યા છે જેનાથી તમે જાણશો કે પતિ-પત્ની લગ્ન પછી એકબીજાને દગો કેમ આપે છે. 
 
લગ્નમાં બેવફાઈનું કારણ - જ્યારે કોઈ પાર્ટનર સંબંધોમાં બીજા પાર્ટનર દ્વારા નજરઅંદાજ કરવામાં આવવાનું અનુભવે છે તો તેના દ્વારા બેવફાઈ કરવાની તકો વધી જાય છે. આવુ થતા તે કોઈ બીજાની શોધ શરૂ કરી દે છે અને પછી તક મળતા જ દગો આપવો શરૂ કરી દે છે.  કાયદાકીય રીતે આ અયોગ્ય છે તેથી આ સંબંધોમાં બેવફાઈના બીજ રોપવાની તૈયારી શરૂ થાય છે.  
 
વધુની ઈચ્છા - લગ્નમાં બેવફાઈનુ બીજુ કારણ છે કંઈક વધુ મેળવવાની તમન્ના કરવી. જ્યારે કોઈ પાર્ટનરને સંબંધોમાં ખુશી અને આનંદ નથી મળતો તો નિ:સંદેશ ચૂપચાપ રીતે કંઈક વધુ મેળવવાની ઈચ્છા રાખે છે અને પછી સંબંધો તૂટી જાય છે. 
 
અસંતુષ્ટિની સીમા પાર થવી - ઘણા પતિ-પત્ની છે જે એકબીજાથી સંતુષ્ટ નથી. તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસ મુજબ 50 ટકા પાર્ટનર બેવફાઈને કારણે સંબંધો તોડી નાખે છે. આ રીતે અસંતુષ્ટિ પણ એક કારણ છે જેનાથી પાર્ટનર એક બીજાને દગો આપે છે.  
 
બોર થવુ કે જીવનમાં ઉદાસી છવાઈ જવી - જેટલુ સામાન્ય લાગે છે તેટલુ નથી. તેનાથી સંબંધો પણ તૂટી શકે છે. એક્સપર્ટ્સ મુજબ આ પણ બેવફાઈનું કારણ હોઈ શકે છે. કેટલાક લોકો જે લગ્નના થોડા વર્ષો પછી સંબંધોમાં થયેલ બોરિયતને સહન કરી લે છે પણ કેટલાક લોકો છે જે મનોરંજન માટે સંબંધો સિવાય બહાર ક્યાક મોઢું મારે છે. 
 
વિશેષ - માનવ પ્રકૃતિ મુજબ માનવીને જેટલુ વધુ મળે છે તેની ઈચ્છાઓ એટલી વધુ વધતી જાય છે.  પહેલા આપણને તહેવારોમાં જ વિશેષ પકવાનો ખાવા મળતા હતા પણ હવે હોટલોની સુવિદ્યા હોવાથી બધુ જ ગમે ત્યારે મળી જાય છે.  તેથી આપણને ઘરના સુરક્ષિત સ્વાદનું મહત્વ સમજાતુ નથી.  એ જ રીતે સંબંધોમાં સ્ત્રી હોય કે પુરૂષ તેને બહાર કોઈ બે શબ્દ મીઠા બોલે તો તે પોતાનુ લાગી જાય છે. પણ એ બહારનો વ્યક્તિ એટલા માટે તમારી સાથે મીઠુ બોલે છે કારણ કે તેને કે તમને તમારો એકબીજાનો અસલી સ્વભાવ ખબર નથી. જે આપણી સાથે ચોવીસ કલાક રહે છે તે જ આપણને સારી રીતે ઓળખી શકે છે.  પતિ-પત્નીએ ક્યારેય માત્ર ભૌતિક સુખ કે શારીરિક સુખ માટે સમાજ દ્વારા બનાવેલ આ પરંપરાને તોડવી ન જોઈએ. તેમા પણ જો તમારા બાળકો હોય તો ક્યારેય નહી... કારણ કે તમે તમારા સુખની શોધમાં તમારા બાળકોને અનેક રીતે દુ:ખી કરો છો.   કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ નથી હોતો. દરેક સમસ્યાને થોડુ ધણુ લેટ ગો કરીને કે થોડુક મંથન કરીને વિચારીએ તો જીવનમાં ક્યારેય તમે એવા કોઈ પગલા નહી લો જેને લઈને તમને ખુદને જ પછતાવો થાય.  
વધુ જુઓ..

જરૂર વાંચો

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Show comments