Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - વાસ્તુમાં સૂર્યનુ ઘણુ મહત્વ છે

Webdunia
શનિવાર, 8 નવેમ્બર 2014 (15:40 IST)
સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. જેની ઉર્જા આખા બ્રહ્માડને જીવન પ્રદાન કરે છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. આ કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ કે ઉત્તરની દિશાઓને વધુ મહત્વ આપવામાં આવે છે.  કારણ કે સૂર્યમાંથી મળનારી સકારાત્મક ઉર્જાનુ મુખ્ય દ્વાર પૂર્વ દિશા જ છે કોઈપણ ઘર કે ભવનમાં સૂર્યની ઉર્જાનુ આગમન ઈશાન કોણથી જ થાય છે. જ્યા સૂર્યની ઉર્જા સાથે અંતરિક્ષની ઉર્જા પણ ભવનમાં પ્રવેશ કરે છે અહી બંને ઉર્જાઓ મળીને ભવનની અંદર એક વિશેષ ઉર્જા ક્ષેત્ર બનાવે છે. જે ભવનના રહેવાસીઓને સકારાત્મક પરિણામ આપે છે.  
 
પ્રાચીનકાળમાં જ માનવ આ વાતને સારી રીતે જાણી ગયો હતો કે સૂર્ય જ જીવનપ્રદાયક  અને જીવન-પોષક શક્તિ છે. સૃષ્ટિના પ્રારંભથી જ વિવિધ કાળોમાં વિશ્વની વિવિધ સભ્યતાઓમાં સૂર્યની ઉપાસના એ સિદ્ધ કરે છે કે સૂર્યનુ મહત્વ અક્ષૃણ્ણ છે. વિજ્ઞાને પણ આ પ્રમાણિત કર્યુ છે કે પરોઢિયાના સૂર્યના ક્રિરણોમાં આપણા શરીર માટે અનેક લાભદાયક પદાર્થ રહેલા હોય છે.  
 
જ્યારે આ સૂર્યની કિરણો ત્વચા પર પડે છે તો આપણા શરીર માટે જરૂરી વિટામિન 'ડી' સીધા રક્ત દ્વારા શોષી લેવામાં આવે છે. આપણે ઉઘાડી આંખોથી સૂર્યની કિરણો સફેદ જોવા મળે છે પણ તેની અંદર બૈગની. ભૂરા, કાળા નારંગી, લીલા લાલ અને પીળા સાત રંગ હોય છે. આ રંગ પણ આપણા સ્વાસ્થ્ય પર વિશેષ પ્રભાવ નાખે છે.  
 
રંગ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં સૂર્યની કિરણોનો ઘણો ઉપયોગ હોય છે. આ કિરણોની ક્રાંતિ અનેક પ્રકારના કીટાણુઓને નષ્ટ કરે છે. સૂર્યોદયના સમયની કિરણો જે કે વધુ રોશની અને ઓછી ગરમીવાળી હોવાને કારણે સર્વોત્તમ હોય છે.  આ જ કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ તરફ વધુ ખુલુ સ્થાન અને દરવાજા બારીઓ મુકવાની સલાહ આપવામાં આવે છે. જેથી પરોઢિયે સૂર્યની કિરણો ઘર અને આંગણમાં વધુમાં વધુ પ્રમાણમાં પ્રવેશ કરી શકે.   
 
જો હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓને નષ્ટ કરી એ સ્થાનને શુદ્ધ કરે જેથી ત્યા રહેનારાઓ સ્વસ્થ જીવન વીતાવી શકે. ઉત્તમ સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે.  વિશેષ - દર વર્ષે સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયાન હોવાથી ભાવનના વાસ્તુના પ્રભાવમાં કોઈ અંતર નથી આવતુ.  
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments