Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - ગણેશજીના શુભ પ્રતિક ચિહ્નોનું મહત્વ

Webdunia
બુધવાર, 14 મે 2014 (14:50 IST)
દ્વાદશ નામ: ગણપતિના દ્વાદશ નામનું જે વ્યક્તિ વહેલી સવારે સ્મરણ કરે છે. તેને વિઘ્ન અને અવરોધોનો સામનો કરવો પડતો નથી. . આ નામ છે - ગણપતિ ,વિઘ્નરાજ, લમ્બતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હૈરબ, એકદંત, ગણાધિપ ,વિનાયક,ચારુકર્ણ, પશુપાલ અને ભવાત્મજ. 
 
મૂર્તિ : ગૃહસ્થોને ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશજીની મૂર્તિ, બે શંખ, બે સૂર્ય પ્રતિમા, બે શાલિગ્રામ, ત્રણ દુર્ગાની મૂર્તિનું  પૂજન નહી કરવુ જોઈએ. ઘરમાં ગણેશજીની મૂર્તિ એકથી વધારે હોય તો કંઈ વાંધો નહી પણ પૂજા એક જ ગણેશજીની થવી જોઈએ. 
 
ગણેશજીને અર્પણ કરાતા પુષ્પ : ગણેશજીને લીલી દૂર્વા સર્વાધિક પ્રિય છે. ગણેશજી પર બધા ફૂલ અર્પણ કરી શકાય. લાલ ફૂલથી તે ખૂબજ પ્રસન્ન થાય છે. 
 
નિષિદ્ધ ફળ : ગણેશજીને તુલસી અર્પણ ના કરાય. જે પુષ્પ અન્ય દેવી-દેવતાઓને નિષિદ્ધ છે તે ગણેશજીને અર્પણ કરી શકાય.  
 
દિશા- ગણેશજીની મૂર્તિ મુખ્યદ્વાર પર સિંદૂર લગાવી સ્થાપિત કરવાથી અશુભ ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય. 
 
ગણપતિજીના આઠ અવતાર- ગણેશ ભગવાનના અસંખ્ય અવતાર છે. પણ તેમાંથી આઠ પ્રમુખ છે. વક્રતુંડ ,એકદંત ,મહોદર,ગજાનન ,લમ્બોદર,વિકટ,નિરાજ અને ધૂમ્રવર્ણ . 
 
શ્વેતાર્ક અને ગણેશ : શ્વેતાર્કને મદાર કે આક પણ કહે છે. આ બે પ્રકારના હોય છે. શિવજીને અતિપ્રિય છે. એમાં ગણેશજીનો વાસ છે એવું કહેવાય છે. તાંત્રિક લોકોમાં આ વિશેષ માન્ય છે. એની જડ શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક પૂજા કરીને ઘરમાં રખાય તો વિશેષ હિતકારી હોય છે. 
 
બુધવાર : આ ગણેશજીનો મિશ્ર સંજક શુભવાર છે. એ દિવસ કોઈને પૈસા આપશો નહી પણ લઈ શકો છો.  આ દિવસ આપેલું ધન પરત મેળવવામાં મુશ્કેલી આવે છે. બેંકમાં ફિક્સ ડિપોજિટ કે નાણાકીય ચુકવણી કરવી હોય તો આ દિવસે કરો.     
 
 
 
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments