રસોડામાં જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ રાખો. પાણીનું માટલું તમારા હાથની ડાબે બાજુ હોવું જોઇએ. આને શુભ માનવામાં આવે છે. જેનાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે.
- ઘરમાં પ્લાંટ્સ રાખવાથી સમૃદ્ધિ જળવાઇ રહેશે. તેથી ઘરમાં મની પ્લાન્ટ લગાવો. અશ્વગંધાનો છોડ રાખવાથી તંદુરસ્તી કાયમ રહે છે. આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આવુ કરવાથી ઘર શણગારેલુ, શાંતિ આપનારુ અને સુખમય વાતાવરણ લાગશે.
- ઘરમાં ક્યારેય હિંસક પ્રાણીઓ કે પક્ષીઓ, ડૂબતો સુરજ, જહાજ, ઉદાસ કે રડતાં ચહેરાઓ ન લગાવો આનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે.
- બેડરૂમમાં પલંગની નીચે સામાન મૂકવાથી પલંગ પર સૂતા લોકો અને તેના પરિવાર વચ્ચે નાની નાની બાબતો બદલ ઝઘડાઓ થવાની સંભાવના વધી જાય છે. તેથી પેટીપલંગમાં પણ ગાદલા-ગોદડાં કે કપડાં જ મૂકવા જોઇએ.