Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - મહાશિવરાત્રિ પહેલા ઘરમાં લગાવો ભગવાન શિવને પ્રિય આ વૃક્ષ, પરંતુ ન કરશો આ ભૂલ

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (08:34 IST)
વાસ્તુ ટિપ્સઃ ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં શમીનું ઝાડ પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યો છે. માન્યતાઓ અનુસાર શમીનું વૃક્ષ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને શમીના પાન અથવા ફૂલ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જો તમે મહાદેવની કૃપા ઈચ્છતા હોવ તો તમારે દરરોજ શમીની પૂજા કરવી જોઈએ. આ સિવાય શમીનું ઝાડ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને ધન પણ લાવે છે.
 
ક્યારે છે મહાશિવરાત્રી 2023 ?
 
ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી વ્રત રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ છે. આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસથી જ સૃષ્ટિની શરૂઆત થઈ હતી. એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.
 
શમીનો છોડ કેવી રીતે રોપવો
 
વાસ્તુ અનુસાર શમીનો છોડ શનિવારે જ લગાવવો જોઈએ. કારણ કે આ દિવસે શમીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે મહાશિવરાત્રી શનિવારે મનાવવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે આ દિવસે ઘરમાં શમીનો છોડ લગાવો તો તે ખૂબ જ શુભ ફળ આપે છે. 
 
આ દિશામાં લગાવો ઝાડ
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં શમીનું ઝાડ હોય ત્યાં કોઈ સમસ્યા નથી હોતી. એવું કહેવાય છે કે શમીનું ઝાડ ધનને આકર્ષે છે. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી પરિવારને પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે.
 
શનિ કોપથી બચાવે છે શમી 
 
શમીનો છોડ શનિદેવના પ્રકોપથી પણ બચાવે છે. આવી સ્થિતિમાં જો શનિની સાડાસાતી કે ધૈયા ચાલી રહી હોય તો તમારે તમારા ઘરમાં શમીનું ઝાડ લગાવવું જોઈએ. તેનાથી શનિની સાડાસાતમાં રાહત મળે છે અને શનિનો પ્રકોપ અને પરેશાનીઓ જીવનમાંથી દૂર થાય છે.
શમીનું ઝાડ લગાવતી વખતે ન કરશો આ ભૂલ 
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ હંમેશા ઘરના આંગણા કે બાલ્કનીમાં લગાવવો જોઈએ. ધ્યાન રાખો કે તેને ઘરની અંદર કે કોઈ રૂમમાં ક્યારેય ન મુકો. કારણ કે વાસ્તુ કહે છે કે ઘરમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં શમીનો છોડ લગાવવો જોઈએ. આ સાથે તેની નિયમિત કાળજી પણ લેવી જોઈએ.

સંબંધિત સમાચાર

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન

Weather updates Gujarat- આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ

30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

આગળનો લેખ
Show comments