Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: શુ તમારા ઘરમાં સુખ-શાંતિ નથી ? તો જાણી લો ક્યાક તમારા ઘરમાં તો નથી આ 6 પ્રકારના છોડ, જે લાવે છે નકારાત્મકતા

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (15:49 IST)
Vastu Plant For Home: વાસ્તુ શાત્રમાં ઝાડ-છોડનુ ખાસ મહત્વ બતાવ્યુ છે. કેટલાક છોડ ઘરમાં ખુશહાલી લાવે છે. જ્યારે કે કેટલાક છોડ ઘરમાં કંગાલિયત લાવવાનુ કામ કરે છે. આવા છોડ ન લગાવવા જોઈએ. 
 
માન્યતા છે કે મહેંદીના છોડમાં ખરાબ શક્તિઓ રહેલી છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
 
વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે, તેને ઘરમાં લગાવવાથી દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે. ઘણી વખત લોકો અજાણતા આ છોડ લગાવે છે, જે પાછળથી બરબાદીનું કારણ બની જાય છે
 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આમલીનુ ઝાડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેને લગાવવાથી ઘરમાં હંમેશા ડર  અને ભયનુ વાતાવરણ કાયમ રહે છે. તેથી તેને પણ ઘરમાં ન લગાવવો જોઈએ. 
 
ઘરના આંગણમા ભૂલથી પણ ખજૂરનુ ઝાડ ન લગાવવુ જોઈએ. તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. આ ઝાડ બતાવવામાં ખૂબ સુંદર લાગે છે પણ તેને લગાવવાથી ઘરના સભ્યો પર કર્જ વધે છે. 
 
ઘરમાં લગાવેલ કોઈપણ ઝાડ- છોડ જો સુકાય રહ્યા છે તો તેને હટાવી દેવા યોગ્ય રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂકાયેલા ઝાડ-છોડ ઘરમા ઉદાસી લાવવાનુ કામ કરે છે અને તેનાથી નકારાત્મકતા વધે છે. 
 
 વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર અને આસપાસ ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ બને છે. આવા છોડ પરસ્પર મતભેદો વધારવાનું પણ કામ કરે છે.
 
શાસ્ત્રો અનુસાર ઘરમાં બાવળનો છોડ લગાવવાથી વિવાદ વધે છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર રહેવા લાગે છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ માનવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments