Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - જો આ સમયે ઘરની બહાર કચરો ફેંકશો તો લક્ષ્મી થશે નારાજ

Webdunia
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (19:31 IST)
Vastu Tips:  વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા ઘરને અને તમારા પરિવારને સ્વસ્થ રાખી શકો છો. સાથે જ વાસ્તુએ ઘરને સાફ કરવા અને ઘરનો કચરો બહાર ફેંકવાનો યોગ્ય સમય પણ જણાવ્યો છે. વાસ્તુ કહે છે કે સૂર્યાસ્ત દરમિયાન કે પછી ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. જો તમે પણ કરો છો આ ભૂલ તો હવે ન કરશો.  ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી ઘરની બહાર કચરો કેમ ન ફેંકવો જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે હમેશા સફાઈ કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ કહે છે કે જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો વાળો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેના બદલે તેને ક્યાંક ડસ્ટબિનમાં નાખો અને પછી સવારે તેને બહાર ફેંકી દો. એવી માન્યતા છે કે સાંજે ઘરની બહાર કચરો ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
- સાથે જ સાવરણીને ક્યારેય પણ ઘરમાં ખુલ્લી જગ્યાએ ન મુકવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કારણ કે ખુલ્લી જગ્યામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર ભાગી જાય છે.
- આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઊભી ન મુકવી જોઈએ. આ પણ સારું માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે ઝાડુ હંમેશા જમીન પર રાખો.
-વાસ્તુ અનુસાર જૂની સાવરણી બદલવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- એવું કહેવાય છે કે કૃષ્ણ પક્ષ દરમિયાન હંમેશા નવી સાવરણી ખરીદવી જોઈએ. બીજી તરફ શુક્લ પક્ષમાં ઝાડુ ખરીદવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે.
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments