Biodata Maker

Vastu Tips: પર્સમાં મુકો આ 5 વસ્તુ, પૈસાથી ભરાય જશે તમારી તિજોરી, વાસ્તુ શાસ્ત્ર દ્વારા જાણો પૈસા વરસાવવાની રીત

Webdunia
Vastu Tips: પર્સ ફક્ત પૈસા રાખવાનું સાધન નથી, પરંતુ તે આપણી આર્થિક સ્થિતિ અને ઉર્જા સાથે પણ જોડાયેલું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારું પર્સ કેવી રીતે રાખવામાં આવે છે અને તેમાં રહેલી વસ્તુઓ તમારી આવક અને નાણાકીય સ્થિરતા પર સીધી અસર કરે છે. જો તમે ઇચ્છો છો કે તમારા પર્સમાં હંમેશા પૈસા રહે અને સમૃદ્ધિ જળવાઈ રહે, તો તમારે વાસ્તુના કેટલાક સરળ પણ અસરકારક નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ કે પર્સમાં કઈ વસ્તુઓ રાખવી જે જીવનમાં પૈસા લાવવાનું શરૂ કરે છે અને જેના કારણે તમારી તિજોરી થોડી જ વારમાં ભરાવા લાગે છે.
 
પીપળાનુ પાન 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં પીપળાનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પર્સમાં રાખતા પહેલા, તેને હળદરથી રંગીને સુકવી લો. જ્યારે તમે આ કરો છો, ત્યારે તમારા પૈસા વધે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે.
 
ચોખાના કેટલાક દાણા 
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, લાલ કપડામાં સ્વચ્છ અને અતૂટ ચોખાના કેટલાક દાણા બાંધો અને તેને તમારા પર્સમાં રાખો. તેને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તે પૈસા આકર્ષે છે.
 
ગણેશ-લક્ષ્મીની નાની ફોટો કે સિક્કો 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં લક્ષ્મી-ગણેશનું નાનું ચિત્ર અથવા કોઈપણ શુભ સિક્કો રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ખર્ચ ઓછો અને આવક વધારે રહે છે.
 
ચાંદીનો સિક્કો કે નાનો કાચબો
 
જો તમે ન જાણતા હોય તો અમે તમને બતાવી દઈએ  કે ચાંદીને સંપત્તિનો પરિબળ માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો કે કાચબાની નાની મૂર્તિ રાખવાથી સમૃદ્ધિ આવે છે. જો તમે આ કરો છો, તો થોડી જ વારમાં તમારી પાસે પૈસા આવવા લાગે છે.
 
શુભ સંકેતવાળો કાગળ 
કેટલાક લોકો પર્સમાં ૐ, શ્રી કે સ્વસ્તિક જેવા શુભ સંકેતોના નાના કાગળ મુકે છે.  વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ પર્સમાં મુકવાથી પોઝિટિવ એનર્જીનો ફ્લો વધે છે.   
 
પર્સમાં ન મુકશો આ વસ્તુઓ  
જૂના કે ફાટેલા બિલ
 
નકામા કાગળો કે કાપલીઓ
 
મૃત વ્યક્તિનો ફોટો
 
તૂટેલી મૂર્તિઓ કે તાવીજ
 
કોઈપણ નકામી ચાવી કે ધાતુ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથ મંદિર દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે, જે 363 મહિલાઓને વાર્ષિક 9 કરોડની રોજગારી પૂરી પાડે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments