Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાય કરશો તો પતિ-પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (11:00 IST)
લગ્નના બંધનને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. આ અતૂટ બંધનમાં બંધાયા પછી પતિ પત્ની બંને જ નવા જીવનની શરૂઆત કરે છે. આખી વય સાથે રહેવાના આ બંધનમાં જો હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે તોજીવનની રાહ ખૂબ જ સહેલી બની જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જે જીવનની આ યાત્રાને ખુશીઓથી ભરી શકે છે. 
 
- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ આદર્શ માનવામાં આવ્યો છે. નવદંપત્તિ પોતાના બેડરૂમમાં શ્રી રાધા-કૃષ્ણનુ ચિત્ર લગાવી શકે છે. આ ચિત્ર જો લાલ રંગના ફ્રેમમાં બનેલુ હોય તો આ ખૂબ જ સારુ રહેશે. લાલ રંગને પ્રેમ અને પવિત્રતાનુ પ્રતિક માનવામાં આવે છે.  આ તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ નજર પડે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે. 
 
- બેડરૂમમાં ક્યારેય પણ ત્રીજી વ્યક્તિની વાત ન કરવી જોઈએ.  જો તમારા લગ્નનો ફોટો લગાવવા માંગો છો તો બેડરૂમની પૂર્વ દિશાનો જ પ્રયોગ કરવો જોઈએ. ભૂલથી પણ આ તસ્વીરને દક્ષિણ દિશામાં ન લગાવશો. 
 
-પતિ પત્નીએ દક્ષિણ દિશામાં માથુ કરીને જ સુવુ જોઈએ 
- બેડરૂમમાં બેડ સામે કાચ ન લગાવવો જોઈએ. 
- પતિ પત્ની જે બેડ પર સૂતા હોય તે લાકડીનો જ બનેલો હોવો જોઈએ. કોઈ અન્ય ધાતુથી બનેલો બેડ નકારાત્મક ઉર્જા લાવે છે. 
- બેડરૂમમાં ધાર્મિક તસ્વીરો ન લગાવશો. 
- સુખી દાંમ્પત્ય જીવન માટે ઘરમાં શિવ પરિવારની સ્થાપના કરો. 
-ઘરમાં સુખ શાંતિ માટે ઘરના મંદિરમાં વાંસળી મુકો. તેના પ્રભાવથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments