rashifal-2026

ઘર-પરિવારમાં ખુશીઓ લાવવા અજમાવો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:20 IST)
ઘરમાં જો નકારાત્મક ઉર્જા હશે તો તો આ પોતાની અસર બતાવે છે.  બસ તેને ઓળખવી જરૂરી છે. જો ઘરમા આવતા જ તમને બેચેની લાગે કે પછી પરિવારના લોકો સાથે પરસ્પર લડાઈ ઝગડા થતા રહે છે. તનાવ રહે છે. કે પછી પરિવારના સભ્યોનુ સ્વાસ્થ્ય અવારનવાર બગડતુ રહે છે. કે પછી તુલસી કે ઘરમાં લાગેલા ફુલ દેખરેખ છતા પણ કરમાતા જોવા મળે તો સમજી લેવુ કે તમારા ઘરમાં નકારાત્મકતા છે.  નકારત્મક ઉર્જાને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે તેને જરૂર અજમવવા જોઈએ. તો આવો જાણીએ આ ઉપાયો 
 
- દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર એક થઈને અને ખુશીઓથી ભરપૂર રહે. ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે પરિવારમાં નાની-નાની વાતો પર અવારનવાર ઝગડો થતો રહે છે. જ્યારે આવી પરિસ્થિતિ મોટુ રૂપ લઈ લે તો ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે.  ઘરની પરેશાનીઓ તમારા ઓફિસના કાર્ય પર પણ અસર કરે છે. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે જેની મદદથી આપણે આપણા પરિવારમાં નવી ખુશીઓ લાવી શકીએ છીએ. 
 
- ઘરના વડીલોની સેવા હંમેશા કરવી જોઈએ. તેમનુ આદર સન્માન કરવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે. 
- ઘરના ડ્રોઈંગ રૂમમાં ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રીકૃષ્ણનુ ચિત્ર લગાવો. આવુ કરવાથી બગડેલા સંબંધોમાં સુધારો આવે છે.  
 
- ઘરની બેઠકમાં શંખ કે સીપથી બનેલા પડદા લગાવવાથી પારિવારિક મતભેદ દૂર થાય છે. 
 
- ઘરમાં ક્યારેય પણ ફાલતુ અને નકામી વસ્તુઓ પડી ન રહેવા દો.  પલંગ નીચે તો ક્યારેય પણ ફાલતુ વસ્તુઓ ન મુકવી જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ નાખે છે. 
 
- ઘરના દરેક રૂમમાં ફટકડીનો ટુકડો મુકી દો. આ ઉપાયથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને વાસ્તુ દોષ દૂર થશે.  
 
-ગલગોટાના ફુલ પર રોજ કંકુ લગાવીને તુલસી પર અર્પિત કરો. આવુ કરવાથી પરિવાર વચ્ચેનો તનાવ ઓછો થાય છે.  

 
 
જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
 
- ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખવો.  
 
- ઘરમાં સુંદર કાંડનો પાઠ જરૂર કરાવો. આવુ કરવાથી ઘર- પરિવાર વિપદાથી હંમેશા સુરક્ષિત રહે છે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

પંજાબના લગ્નનો વીડિયો વાયરલ, વેઈટર નહીં પણ રોબોટ પીરસતો હતો

આગળનો લેખ
Show comments