- પ્રવેશ દ્વારની તરફ પગ મુકીને ન સુવુ જોઈએ. લક્ષ્મીનું અપમાન થાય છે.
- કોર્ટ કેસની ફાઈલ મંદિરમાં મુકવાથી કેસ જીતવામાં મદદ મળે છે.
- સ્વર્ગવાસી વૃદ્ધોની ફોટો હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ. કારણ કે તેના ધીમા પડવાથી ઘડિયાળ પણ પાછળ થશે જેને કારણે ગૃહસ્વામીનુ ભાગ્ય ધીમુ ચાલશે.
- પલંગ ક્યારેય દિવાલને અડીને ન રાખો. તેનાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થાય છે.
- કોઈપણ મકાનનું ત્રણ રસ્તા પર હોવુ અશુભ હોય છે. આ દોષ માટે ચાર દિવાલો પર અરીસો મુકવો જોઈએ.
- જો કોઈ વધુ સમયથી બીમાર છે તો તેને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સૂવડાવવા જોઈએ. ઈશાન ખૂણામાં ઠંડુ પાણી મુકવાથી રોગી ખૂબ જલ્દી સ્વસ્થ થાય છે.
- ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ અંદર અને બહારની તરફ ગણપતિ અથવા દક્ષિણ મુખી દ્વાર પર હનુમાનજીની તસ્વીર અને ભૈરવ યંત્ર લગાવીને લાભ લઈ શકાય છે.