Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચભુતોનું ઘરમાં સ્થાન

Webdunia
1. જળ : જળનું સ્થાન ઉત્તર-પુર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે. જળનું સંગ્રહસ્થાન, કુવો, ટાંકી વગેરે પુર્વ ઉત્તર દિશામાં હોવા જોઈએ જેથી કરીને સુર્યના સવારના કિરણો તેની પર પડે અને કિટાણું નષ્ટ થઈ જાય. આ સિવાય આ તરફ જળનું સંગ્રહસ્થાન હોવાથી ઘરના સ્વામીને ખુશી અને સમૃદ્ધિ મળે છે.

2. અગ્નિ: અગ્નિનું સ્થાન દક્ષિણ પુર્વમાં છે. એટલા માટે રસોડુ આ તરફ હોવું જોઈએ. અગ્નિને પ્રજ્વલિત કરતી વખતે મનુષ્યનું મોઢુ પુર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેનાથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ રહે છે અને મનુષ્યનું મન શાંત રહે છે.

3. ભુમિ : મકાનના દક્ષિણ પશ્ચિમ ભાગને સખત માનવામાં આવ્યો છે એટલા માટે આ દિશાને ભુમિની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ દિશા જેટલી ઉંચી હશે ગૃહસ્વામીનું તેટલુ જ માન સન્માન રહેશે અને તે સમાજમાં ઉંચો દરજ્જો મેળવશે.

4. વાયુ : વાયુનું સ્થાન ઉત્તર-પશ્ચિમમાં માનવામાં આવે છે. એટલા માટે ઘરના બારી બારણાં વગેરે આ દિશામાં બનાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને ઘરમાં પર્યાપ્ત વાયુ પ્રવેશ કરે અને ઘરમાં રહેનાર લોકોને પુર્ણ રૂપે વાયુ મળે. જો આ દિશામાંથી વાયુનો પ્રવાહ કોઈ પણ અવરોધ વિના મળે તો આ મકાનના સ્વામીને હંમેશા ખુશી મળશે અને વ્યાપારમાં પ્રગતિ અને સારા મિત્રો મળશે જે તેના સુખ દુ:ખના સાથી હશે.

5. આકાશ : આકાશની જગ્યા મકાનના વચ્ચેના સ્થાનને આપવામાં આવે છે. મકાનનું નિર્માણ કરતી વખતે વચ્ચેવાળી જગ્યાને ખાલી છોડી દેવી જોઈએ. આને બહા સ્થાન પણ કહેવામાં આવે છે. આ સ્થાન આકાશથી સીધુ દેખાઈ દેવું જોઈએ. આની વચ્ચે બીમ અને અવરોધ પેદા કરે તેવું કઈ પણ ન હોવું જોઈએ. નાના મકાનવાળા આ રીતની જગ્યા છોડી નથી શકતાં પરંતુ તેમણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે મકાનની વચ્ચેની જગ્યા ખાલી છોડી શકે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments