Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમને સુખ સંપત્તિ જોઈતી હોય તો આ પાંચ વસ્તુ ઘરમાં ન મુકશો

સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ

Vaastu Shastra: for Health  Happiness and Prosperity | ... | જો તમને સુખ સંપત્તિ જોઈતી હોય તો આ પાંચ વસ્તુ ઘરમાં ન મુકશો
Webdunia
વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરની જમીન, ઘરની દિશા મુખ્ય દ્વાર અને ઘરમાં મુકેલ વસ્તુઓ પણ વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. તેથી ઘરમાં એવી વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થાય.

ઘરને સુંદર બતાડવા એવી વસ્તુઓ ન લાવો જેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે અને સુખ અને ધનનુ નુકશાન થાય.


આ વસ્તુઓથી ઘરમાં અશાંતિ સર્જાય છે


P.R


વાસ્તુવિજ્ઞાનમાં કહેવામાં આવ્યુ છે કે યુદ્ધથી સંબંધિત વસ્તુઓ જેવી તલવાર બંદૂક વગેરે ન મુકવી જોઈએ. આનાથી ગુસ્સો અને પરસ્પર દ્વેષ વધે છે.

અનેક લોકો ઘરમાં મહાભારતનો ફોટો લગાવે છે. વાસ્તુવિજ્ઞાન મુજબ આ પણ ઘરની સુખ શાંતિમાં બાધક હોય છે. મહાભારત એક પારિવારિક યુદ્ધ હતો જે પરિવારમાં સંઘર્ષની ભાવનાને વધારે છે. તેથી મહાભારતની તસ્વીર ઘરમાં ન મુકવી જોઈએ.


શિવની આવી મૂર્તિ ઘરમાં ન મુકશો

P.R


શિવની નટરાજ મૂર્તિ પણ લોકોને ખૂબ ગમે છે. ડ્રોઈંગ રૂમમાં આને લોકો ખૂબ શોખથી મુકે છે. ખાસ કરીને જેઓ કલા સાથે સંકળાયેલા છે તેઓ આ મૂર્તિને ઘરમાં શ્રદ્ધાપૂર્વક મુકે છે.

જ્યારે કે વાસ્તુ મુજબ શિવની નટરાજની મૂર્તિ વિનાશનુ પ્રતિક છે. કારણ્કે જ્યારે શિવ ક્રોધિત થાય છે તો નૃત્ય કરે છે. શિવના તાંડવ નૃત્યથી પ્રલય આવે છે. તેથી ઘરમાં શિવની નૃત્ય મુદ્રાવાળી મૂર્તિ અથવા તસ્વીર ન મુકવી જોઈએ.


આનાથી ધન અને સુખમાં કમી આવે છે

P.R


ટાઈટેનિકના પોપુલર થયા બાદથી ઘના લોકો ટાઈટેનિકની તસ્વીર ઘરમાં ટાંગવા માંડ્યા છે. જ્યારે કે વાસ્તુ વિજ્ઞાન મુજબ ડૂબતી બોટની ફોટો ઘરમાં ન મુકવી જોઈએ.

આનાથી નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે. ઘરના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલની કમી આવે છે. ઘન અને સુખમાં કમી આવે છે.

પ્રેમની આ નિશાની ઘરમાં ન મુકશો

P.R


તાજમહેલની ફોટો અને શો પીસથી ઘર સજાવવુ ઘણા લોકોને પસંદ છે. જ્યારે કે તાજમહેલ એક સમાધિ છે જે મોતની નિશની અને નકારાત્મકતાનુ પ્રતીક છે.

તેને પ્રેમનું પ્રતીક માનીને ઘરમાં ન મુકવુ જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધવાને બદલે તેમની વચ્ચેનું અંતર વધવાનો વિચાર વારે ઘડીએ આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments