Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu For Prosperity : સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરના મંદિરમાં મુકો આ વસ્તુઓ

Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (13:43 IST)
વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips)માં વસ્તુઓ અને ઘરમાં તેને મુકવાની દિશાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે. આ વ્યક્તિને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. એવુ માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પુરૂકાર્ય પણ નિષ્ફળ થઈ શકે છે. 
 
ઘરના વાસ્તુ દોષ (Vastu Dosh)ને દૂર કરવા માટે તમે કેટલાક વાસ્તુ ઉપાય પણ અજમાવી શકો છો અનેકવાર ઘરમાં કેટલા પણ પૈસા આવે પણ તે ટકતા નથી. જેની પાછળ વાસ્તુદોષ (Vastu For Prosperity) પણ એક કારણ બની શકે છે. આવા ઘરના મંદિરને કંઈ દિશામાં મુકવુ જોઈએ અને મંદિરમાં કંઈ વસ્તુઓ મુકવાથી સુખ સમૃદ્ધિ આવે છે આવો જાણો 
 
ઘરનુ મંદિર સ્થાપિત કરવાનુ સ્થાન 
 
વાસ્તુ શાત્ર મુજબ ઘરના મંદિરની યોગ્ય દિશા ઉત્તર-પૂર્વ દિશા હોય છે. આ દિશા મંદિર માટે સૌથી સારી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ મંદિર દક્ષિણ દિશામાં ન બનાવવુ જોઈએ. માનવામા આવે છે કે જો મંદિરનુ મોઢુ દક્ષિણ દિશા તરફ હોય તો ધનનુ નુકશાન થવાની હંમેશા શક્યતા બની રહે છે. 
 
ઘરના મંદિરમાં મુકો આ વસ્તુઓ 
 
ભગવાન કૃષ્ણને મોર પંખ ખૂબ જ પ્રિય છે. આ મંદિરમાં મુકવુ ખૂબ શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પૂજા સ્થળ પર મોર પંખ મુકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
શંખ 
 
ઘરમાં નિયમિત રૂપથી શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવુ કહેવાય છે કે શંખને પૂજા સ્થળ પર મુકવુ ખૂબ જ શુભ હોય છે. આવુ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 
 
ગંગાજળ 
 
હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે પવિત્ર જળ ક્યારેય ખરાબ થતુ નથી. હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે પૂજા સ્થળ પર હંમેશા પવિત્ર જળ મુકવુ જોઈએ. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
શાલિગ્રામ 
 
શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ એક રૂપ માનવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને પૂજા સ્થળ પર મુકવુ અત્યંત શુભ હોય છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments