ઘરમાં ઘન વૃદ્ધિ માટે ઘણા ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા છે. આ ઉપાયોમાંથી વાસ્તુશાસ્ત્રના મુજબ કેટલાક ઉપાય છે જે ખૂબ જ સરળ છે. તેને કરીને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઘનવૃદ્ધિનો લાભ લઈ શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનની દિશા પણ બતાવાઈ છે. આ દિશાના સ્વામી ધન કુબેર છે. અને જેના ઘરમાં ઉત્તર દિશા વાસ્તુદોષ હોય છે તેને ધનની કમી બની રહે છે. તેથી આ દિશાને શુભ બનાવવા માટે અમે તમને બે સરળ ઉપાય બતાવી રહ્યા છે જેને સહેલાઈથી કરી શકાય છે.
લક્ષ્મી અને કુબેરની તસ્વીર - લક્ષ્મી ધનની દેવી છે. તેની કૃપા થતા કુબેર પોતાનો ખજાનો ખોલે છે. તેથી લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ કે તસ્વીર ઘરમાં જરૂર મુકો. વાસ્તુશાસ્ત્રના મુજબ આ બંનેની મૂર્તિ કે તસ્વીર ઉત્તર દિશામાં જ લગાવો. જેનાથી આ દિશા સક્રિય થાય છે અને ઘરમાં ઘનની આવક થાય છે.
ઝરણાનો ફોટો લગાવો - ઘર સજાવવા માટે સુંદર સુંદર ફોટા લગાવી શકાય છે. પણ આ જ ફોટાઓને વાસ્તુ મુજબ લગાવીને ધન વૃદ્ધિ કરી શકાય છે. ઉત્તર દિશામાં કાયમ ઝરણુ કે સમૃદ્ધની તસ્વીર જ લગાવો. આ ઉપરાંત આ દિશામાં લીલા રંગના પોપટનો ફોટો લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.