Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lucky Flower Plant: ઘરમાં જરૂર લગાવો આ 5 ફૂલોના છોડ, તણાવ દૂર થશે, આવશે સુખ-સમૃદ્ધિ

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (01:18 IST)
Lucky Flower Plant: દરેક વ્યક્તિને ઘર હોય કે ઓફિસમાં લીલા છોડ રોપવાનું પસંદ કરે છે. લીલા છોડ માત્ર દેખાવમાં જ સારા નથી હોતા પરંતુ તે મનને શાંતિ પણ આપે છે. જો ઘરમાં છોડ હોય તો સકારાત્મકતાનો કાયમ રહે છે. કેટલાક વૃક્ષો માત્ર સાજ સજ્જા માટે જ નથી લગાવાતા પરંતુ કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિના આગમનમાં મદદરૂપ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ફૂલોના છોડ લગાવવા પણ ખૂબ જ જરૂરી છે. ફૂલોના છોડ તણાવ દૂર કરે છે. તેમજ તેમને જોઈને મનને શાંતિ મળે છે. આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા રાખે છે. આજે અમે તમને એવા જ કેટલાક ફૂલોના છોડ વિશે જણાવી રહ્યા છીએ, જેને ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એવા 5 ફૂલો વિશે જે જીવનમાં ખુશીઓ લાવે છે.
 
ચંમ્પા - ચંપાના ફૂલને ધાર્મિક દ્રષ્ટિકોણથી પવિત્ર માનવામાં આવે છે. તેના ફૂલોનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. તેના ફૂલોમાં સુગંધ હોવાને કારણે, ચંપાનો છોડ પર્યાવરણને શુદ્ધ કરવા માટે વાવવામાં આવે છે.
 
મોગરા - વાસ્તુ અનુસાર મોગરાનો છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. મોગરાના ફૂલો ઉનાળામાં ખીલે છે. તેની મીઠી સુગંધ મનને તાજગી આપે છે અને ગુસ્સાને શાંત કરે છે.
 
ગુલાબ - મોટાભાગના લોકો પોતાના ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું પસંદ કરે છે. આ ફૂલ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. ગુલાબની સુગંધ માત્ર મનને શાંત જ નથી કરતી પણ તણાવને પણ દૂર કરે છે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. એટલા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ.
 
ચમેલી  - વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં ચમેલીનો છોડ રાખવાથી શુભ ફળ મળે છે. ઘરમાં તેની હાજરીને કારણે પરિવારના સભ્યોના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે. સાથે જ તમને સકારાત્મક ઉર્જા પણ મળે છે.
 
 
પારિજાત - વાસ્તુશાસ્ત્ર અનુસાર પારિજાતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં પારિજાતના ફૂલ હોય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ ચમકદાર ફૂલો ફક્ત રાત્રે જ ખીલે છે અને સવારે તેઓ જાતે જ ઝાડ પરથી પડી જાય છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments