Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips : જાણો વાસ્તુ અનુસાર કેવું હોવું જોઈએ તમારા ઘરનું બાથરૂમ !

Webdunia
શનિવાર, 11 ડિસેમ્બર 2021 (07:55 IST)
વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષની એક મહત્વપૂર્ણ શાખા છે. તેના નિયમો સૂર્યના કિરણો પર આધારિત છે જે અગ્નિ, પાણી અને હવા વચ્ચે સંતુલન બનાવવાનું કામ કરે છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પરિવારના લોકોની પ્રગતિ થાય છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ રહે છે.
 
આજે અમે તમને જણાવીશું કે વાસ્તુના નિયમો અનુસાર ઘરનું બાથરૂમ કેવું હોવું જોઈએ. વાસ્તવમાં, બાથરૂમ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આ સ્થાન પર રાહુનો સૌથી વધુ પ્રભાવ છે. આવી સ્થિતિમાં, જો તમે તેને વાસ્તુ અનુસાર તૈયાર કરો છો, તો તમારા ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહેશે.
 
 
જાણો ઘરનું બાથરૂમ કેવું હોવું જોઈએ
 
1. રસોડાની સામે કે બાજુમાં ક્યારેય બાથરૂમ ન હોવો જોઈએ. આ સિવાય બાથરૂમમાં ટોયલેટ સીટ હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમમાં હોવી જોઈએ.
 
2. બાથરૂમ દક્ષિણ, દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ ન બનાવવું જોઈએ. આનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. પરંતુ જો તે તમારા ઘરમાં પહેલાથી જ દક્ષિણ દિશામાં બનેલું છે, તો તેની પાસે કોઈ કાળી વસ્તુ રાખો, જેથી તેની નકારાત્મક અસર સમાપ્ત થઈ જાય.
 
 3. દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે, તેથી આ દિશામાં બાથ ટબ કે શાવર ન મૂકશો. બાથરૂમની પેઇન્ટિં કરતી વખતે હંમેશા હળવા રંગની પસંદગી કરો. બાય ધ વે, બ્રાઉન અને વ્હાઇટ કલર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.
 
4. વાસ્તુ અનુસાર બાથરૂમમાં વાદળી રંગનું ટબ અથવા ડોલ અવશ્ય રાખવી જોઈએ. તે શુભ માનવામાં આવે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે. કાળા અને લાલ રંગની ડોલ અથવા ટબનો ઉપયોગ કરશો નહીં.
 
5. બાથરૂમમાં અરીસો એવી રીતે લગાવો કે તેમાં ટોયલેટ સીટ ન દેખાય. આ સિવાય બાથરૂમની સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો.
 
6. બાથરૂમના નળ એવા હોવા જોઈએ કે તેમાંથી સહેજ પણ પાણી ન નીકળે. નળમાંથી ટપકતું પાણી સારું માનવામાં આવતું નથી. જેના કારણે આર્થિક નુકશાન થાય છે.
 
7. બાથરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. લોખંડના દરવાજાને બદલે લાકડાના દરવાજા લો. બાથરૂમના દરવાજા પર દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો. આ દરવાજા હંમેશા બંધ રાખો.
 
8. દરેક બાથરૂમમાં બારી હોવી જોઈએ, જેથી યોગ્ય વેન્ટિલેશન થઈ શકે અને નકારાત્મક ઉર્જા બહાર આવી શકે. બારી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ તરફ ખુલવી જોઈએ.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments