Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા વર્ષે ઘરની નકારાત્મકતાને દૂર કરવી છે તો કપૂરનો આ ઉપાય જરૂર કરો

Webdunia
સોમવાર, 3 જાન્યુઆરી 2022 (04:47 IST)
નવું વર્ષ શરૂ થઈ ચુક્યુ છે, નવા વર્ષ પર લોકો પણ તમામ નવા કામો શરૂ કરે છે. જો તમને ગયા વર્ષે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ, બીમારીઓ વગેરેનો સામનો કરવો પડ્યો હોય તો નવા વર્ષે કપૂરના કેટલાક ઉપાયો કરવા માંડો. આ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
 
જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કે અન્ય કોઈ પ્રકારની નકારાત્મકતા હોય તો આજથી રોજ તમારા ઘરમાં કપૂર સળગાવીને તેને ઘીમાં ડુબાડીને તેનો ધુમાડો આખા ઘરમાં કરો. તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.
 
જ્યારે તમારા રસોડાના બધા કામ પૂર્ણ થઈ જાય, ત્યાર બાદ રસોડામાં એક બાઉલમાં લવિંગ અને કપૂર સળગાવી દો. માતા અન્નપૂર્ણા રસોડામાં રહે છે. તેનાથી માતા પ્રસન્ન થાય છે અને પરિવારમાં ક્યારેય ભોજનની કમી નથી આવતી. આવા ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે. લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ધુમાડો કરવાથી કરિયરમાં આવતી અડચણો દૂર થાય છે.
 
જો તમારા ઘરમાં પિતૃ દોષ કે અન્ય કોઈ પ્રકારનો દોષ હોય તો તમારા બધા કામમાં વિઘ્ન આવે છે અને કામનું પૂર્ણ ફળ મળતું નથી. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા, તમારા ઘરમાં કપૂર સળગાવી દો અને તેનો  આખા ઘરમાં ધુમાડો કરો. તેનાથી ઘરમાં પિતૃ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
 
જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો આજથી રોજ સાંજે ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં કપૂર સળગાવવાનું શરૂ કરો. જેના કારણે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments