rashifal-2026

વાસ્તુશાસ્ત્ર અને તમારી ઉર્જા

નઇ દુનિયા
ગુરુવાર, 4 જૂન 2009 (16:28 IST)
N.D
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે કેમકે પૃથ્વી પર મુખ્ય ઉર્જા માત્ર સુર્ય જ છે. સુર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાયા કરે છે. આ સિદ્ધાંત પર અગ્નિ ખુણાની કલ્પના કરવામાં આવી છે. આને માટે ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો યોગ્ય માનવામાં આવ્યો છે. અગ્નિ ખુણામાં ઘરની રસોઈ બનાવવાથી ઘરને ફાયદો મળે છે.

* ઉત્તર-પુર્વ દિશાને 'ઈશાન' ખુણો કહે છે. તેથી પૂજાનું સ્થાન આ જગ્યાએ જ હોવું જોઈએ. અન્ય રચાનાત્મક કાર્ય જેવા કે લેખન વગેરે પણ આ ખુણામાં જ કરવામાં આવે તો નિશ્ચિત રૂપે ફાયદો થશે.

* ઘરમાં ઉર્જાનો પ્રવેશ મુખ્ય દરવાજાથી જ થાય છે. પૂર્વ અને ઉત્તર દિશાને ઉર્જાની દિશાઓ માટે મહત્વની દિશાઓ કહેવામાં આવે છે. એટલા માટે પ્રવેશ દ્વાર જો ઉત્તર કે પૂર્વમાં રાખવામાં આવે તો તે ઘરમાં રહેનાર કામમાં રસ લે છે.

* ઘરમાં ઉર્જાને જાળવી રાખવા માટે અનાવશ્યક ઘરનો મુખ્યદ્વાર ખોલીને ન રાખશો. ઉર્જાનું સંતુલન જાળવી રાખવા માટે ઘરના કુલ દરવાજાની સંખ્યા સમ હોવી જોઈએ.

* જો આ સંખ્યા વિષમ હોય તો તેના કારણે વિપરીત પરિણામ મળે છે. ઘરમાં દરવાજાઓની વધારે સંખ્યા વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલા માટે કોઈ પણ ઘરમાં દસ કે દસનો ગુણાંકમાં વીસ કે ત્રીસ દરવાજા ન હોવા જોઈએ.

* ઘરનું કેંન્દ્રીય સ્થાન ખુબ જ મહત્વપુર્ણ હોય છે. આ સ્થાનને 'બ્રહ્મ સ્થાન' પણ કહેવામાં આવે છે. આ એટલુ જ મહત્વપુર્ણ છે જેટલુ કે મનુષ્યના શરીરમાં હૃદય. એક રીતે એવું પણ કહેવામાં આવે છે કે આખા ઘરમાં ઉર્જાનો પ્રચાર આ જ જગ્યાએથી થાય છે. તેથી આ જગ્યાને હંમેશા સાફ રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનો જુનો અને નકામો સામાન આ જગ્યાએ ન હોવો જોઈએ.

* અહીંયા પૂજાઘર પણ બનાવી શકાય છે અને જો શક્ય હોય તો આ જગ્યાએ એક તુલસીનો છોડ લગાવવાથી પણ સારૂ પરિણામ મળે છે. આ જગ્યાએ પ્રકાશ યોગ્ય રીતે આવતો હોય તેનું ધ્યાન રાખો.

* ઘરમાં હંમેશા એકતાને કાયમ રાખવા માટે પરિવારના સભ્યોએ દિવસમાં એક વખત ગમે ત્યારે સાથે બેસીને વાતચીત કરવી જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

Show comments