Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને તમારૂ ઘર- 1

Webdunia
N.D
જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે લોકો તેને નિર્જીવ સમજે છે પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે. કેમકે દિવાલો પણ વાતો કરે છે અને શ્વાસ લે છે એટલા માટે તો લોકોને કોઈ ગુપ્ત વાત કરવી હોય તો લોકો કહે છે કે ધીમે ધીમે વાત કરો કેમકે દિવાલોને પણ કાન હોય છે. આ વાત વડે સિદ્ધ થાય છે કે આપણા પૂર્વજોએ આ લોકોક્તિને બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રનું અધ્યયન કર્યું હશે. જે કર્મો આપણે કરીએ છીએ તેની અસર આપણી સાથે સાથે આપણી રહેવાની જગ્યા પર પણ પડે છે. કેમકે પંચભુતનો દરેક માણસના શરીરમાં સમાવેશ છે. મનુષ્યો અને બ્રહ્માંડની રચના પંચમહાભુતના આધારે થઈ છે. આ પંચમહાભુત છે- પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. દરેક સ્ત્રી અને પુરૂષમાં આનું ખુબ જ મહત્વ છે. પ્રકૃતિની વિરુદ્ધ કામ કરવાથી તેનું સંતુલન બગડી જાય છે અને આપણી ઉર્જા ખોટી દિશા તરફ વળી જાય છે જેનાથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈને આપણા મગજ અને શારીરિક સંતુલનને બગાડી દે છે અને બેચેની, તણાવ અને અશાંતિ પેદા કરે છે. આ જ રીતે જ્યારે માણસ પ્રકૃતિ સાથે છેડછાડ કરે છે ત્યારે તેનું સંતુલન બગડી જાય છે અને ત્યારે તોફાન, પુર, વાવાઝોડુ અને ભુકંપ વગેરે પોતાનો તાંડવ દેખાડે છે.

એટલા માટે તે જરૂરી છે કે આ પંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે જેથી કરીને આપણે શાંતિપુર્વક આપણું જીવન પસાર કરી શકીએ. જેવી રીતે કે ઉપર કહેવામાં આવ્યું છે કે મકાનના નિર્માણ બાદ આ પંચ તત્વ ઘરમાં વસવાટ કરે છે ત્યારે તે જરૂરી થઈ જાય છે કે આ પાંચેય તત્વોનું સંતુલન જળવાઈ રહે. તેનું સંતુલન થોડુક પણ બગડી જાય તો મકાનની અંદર વસવાટ કરતાં માણસો સુખ-શાંતિથી નથી રહી શકતાં. તેમને હંમેશા અશાંતિ, ઝઘડો, આર્થિક તંગી, રોગ અને માનસિક દ્વંદ વગેરે જેવી મુશ્કેલીઓ ઘેરી લે છે. આ પાંચેય તત્વોને જાણવા માટે તેમના વિશે અલગથી સમજવું પડશે કે આ શું છે અને તેની મનુષ્ય અને બ્રહ્માંડ પર કેવા પ્રકારની અસર પડે છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments