Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવાર અને વાસ્તુ -2

Webdunia
N.D
સજાવટ

જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો પ્રયોગ ઉત્તર, પૂર્વ તેમજ પૂર્વોત્તરની બાલ્કનીમાં કરી શકાય. નેચરલ બલ્બનો પ્રકાશ દરેક દિશામાં ઉત્તમ છે.

ઉપહારનું મહત્વ

દિવાળી પર એકબીજાને ભેટ અને ઉપહાર અપવાનો રિવાજ પણ પોતાનું એક મહત્વ ધરાવે છે. જ્યારે વાત આવે છે ગીફ્ટ આપવાની તો વાસ્તુ અને ફેંગશુઈમાં ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે જેને તમે ઉપહાર સ્વરૂપ પ્રયોગમાં લાવી શકો છો. આમાંથી નીચે આપેલ વસ્તુઓ ખાસ છે જેવી કે, - ક્રિસ્ટલ, પિત્તળ, માટી, ટેરાકોટા વગેરેથી બનેલ શુભચિન્હો જેવા કે ઓમ, સ્વસ્તિક, શ્રી ગણેશ, મંગળ કલશ, લાફિંગ બુદ્ધા, હેપ્પી મેન, વિંડચાઈમ, લાલ દોરામાં બાંધેલ ત્રણ ચાઈનીઝ સિક્કાઓ, ક્રિસ્ટલ બોલ આ બધી જ વસ્તુઓ તે વાતની પણ સાબિતી રાખે છે કે ભેટ આપનાર વ્યક્તિ ખરેખર તમારૂ કલ્યાણ ઈચ્છે છે. તે તમારો શુભ ચિંતક છે અને સાથે સાથે આ ભેટનું સૌથી સારૂ પાસુ તે પણ છે કે આ લાંબા સમય સુધી પ્રયોગમાં લાવી શકાય છે.

મન મસ્તિષ્કમાં લાવો શુદ્ધતા

જે રીતે દિવાળીમાં ઘરમાંથી ગંદકીને દૂર કરવામાં આવે છે તેવી જ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણા મનમાં ભરેલી અશુદ્ધિઓ અને ગંદકીને દૂર કરી દઈએ. જેવી રીતે કોઈ શત્રુતાની ભાવના, વેર, ગુસ્સો, ખોટા વિચારો, વ્યસન, જુની દુશ્મની વગેરે કેમ કે, વાસ્તુશાસ્ત્રની શબ્દાવલીમાં ઈશાન ખુણાને વાસ્તુ પુરૂષના માથાને સમાન માનવામાં આવે છે. વાસ્તુમાં સૌથી વધારે બળ પુર્વોત્તરના ઈશાન ખુણો એટલે કે માથામાં જ બુરાઈ ભરી હોય તો વાસ્તુનો લાભ કેવી રીતે થાય? તેથી બધી જ સામાજીક બુરાઈઓનો ત્યાગ કરીને એક સુંદર અને સાફ દિવાળીને ઉજવવી અને પરિવાર સહિત ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી.

સૌજન્ય : વાસ્તુ એવં જ્યોતિષ

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments