rashifal-2026

જીવંત રાખો પ્રેમનો સેતુ....

કલ્યાણી દેશમુખ
N.D
સંબંધો ફક્ત સામાજિક વ્યવસ્થાઓની ધુરી જ નથી. આ તો માણસના વિકાસના પ્રેરકબળ છે. સંબંધોને પ્રાકૃતિક કે પારિવારિક કે લોહીના સંબંધોની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

વૈવાહિક સંબંધો પ્રથમ તો પરિસ્થિતિજન્ય હોય છે અને પાછળથી એ જ સંબંધો પ્રાકૃતિક અને પારિવારિક સંબંધો પણ બની જાય છે. એવી જ રીતે કેટલાક સંબંધો એવા હોય છે જે સમય વીતતા વૈવાહિક સંબંધોની જેમ મજબૂતી નથી મેળવી શકતા પરંતુ તે સમયની સાથે ભૂંસાતા જાય છે. જેમા શરૂઆતમાં યાત્રા દરમિયાનના સંબંધો, શિક્ષા દરમિયાનના સંબંધ ો. જે મિત્રો વગર શાળા કે કોલેજનો એક દિવસ પણ વીતતો નહોતો, એ જ મિત્રો પાછળથી ફક્ત યાદોનુ કેન્દ્ર બની જાય છે.

સંબંધો વગર માનવ જીવનની કલ્પના કરવી અશક્ય છે. સંબંધો જ માનવની ઉત્પત્તિથી લઈને નિર્માણ અને નિર્વાણ સુધી પોતાની જવાબદારીનુ પાલન કરે છે.

આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર કે તેની પવિત્રતા પર ઘણીવાર આપણે ગંભીર નથી હોતા. ખાસ કરીને જ્યારે આપણે કોઈ નવા સંબંધ બનાવવા જઈએ છીએ, ત્યારે આપણે સંબંધોને તોલવા બેસી જઈએ છીએ. વિશેષ કરીને લગ્નન ાના સંબંધોમાં. આ સંબંધ સ્થાપિત કરવામાં ઘણીવાર આપણો દ્રષ્ટિકોણ સુંદરતા, પૈસો, સાધનોની સુવિધા, પ્રતિષ્ઠા વગેરેની આસપાસ કેન્દ્રિત થઈને રહી જાય છે.

આ દ્રષ્ટિકોણ આપણને એટલા આગળ લઈ જાય છે કે આપણે સંબંધોના પ્રાણ કહેવાતા એવા અપનત્વ અને પ્રેમની આવશ્યકતાને જ ભૂલી જઈએ છીએ. એ પણ ભૂલી જઈએ છીએ કે સંબંધોમા યોગ્યતાની પણ જરૂર પડે છે. સાધન, ધન વગેરેને જ આપણે યોગ્યતા માનવા લાગીએ છીએ, જ્યારે કે સત્ય તો એ છે કે વિનમ્રતા વગરનુ જ્ઞાન અજ્ઞાનતા કરતા પણ વધુ હાનિકારક છે.

સંબંધોમાં જ્યા સુધી પ્રામાણિકતા, અપનત્વ કે પ્રેમ નહી હોય, ત્યાં સુધી તો માનવતાના સર્વોચ્ચ સંબંધો જેવા કે માં-પુત્ ર, કે મા- પુત્રીનો સંબંધ પણ સાર્થકતા મેળવી શકતો નથી, બાકીના સંબંધો તો પછી આની આગળ ગૌણ જ છે. સંબંધો એક કે બે ને જ પ્રભાવિત નથી કરતા પરંતુ ઘણી વાતોને સીધી રીતે અને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. સંબંધોમાં જ કડવાશ આવે તો આપણા પોતાના અને આપણા આસપાસના સામજિક તંત્રને સીધો માર પડે છે, આધાત લાગે છે. આવા આધાતો સામાજિક મૂલ્યોને તળિયે પહોંચાડી દે છે. જેના માટે ક્યાંક આપણી સંબંધો પ્રત્યેની બેદરક ારી પણ કારણરૂપ છે.

  N.D
સીધી વાત તો એ છે કે સંબંધોમાં વ્યક્તિગત સ્વાર્થ અને જવાબદારીનો અભાવ આખી પ્રાકૃતિક અને પરંપરાગત વ્યવસ્થા અને આસપાસની વ્યવસ્થાને તોડી નાખે છે.

જરૂરી છે કે આપણે આપણા દરેક સંબંધોમાં અપનત્વ, પ્રેમ અને જવાબદારીનો સમાવેશ જરૂર મુજબ કરતા રહીએ. જેથી આપણા સંબંધોની આપણી દુનિયા સદા ખીલતી રહે, સુવાસિત થતી રહે અને આપણુ જીવન બારેમાસ વેલેંટાઈન ડે બની રહે.

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments