Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારમાં મુખ્યમંત્રી પણ અસલામત

નાલંદા યુનિ.ના નિરક્ષણ માટે ગયેલા નિતીશકુમાર પર હુમલો

વાર્તા
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2008 (20:23 IST)
પટના(વાર્તા) બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે આજે બિહારશરીફમાં પોતાની ઉપર થયેલા હુમલાને કાવતરાનો ભાગ ગણાવ્યો હતો અને તેની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. પુર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની ઉપસ્થીતીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યુ હતુ કે, યુનિવર્સિટી ઓફ નાલંદાના પ્રસ્તાવીત સ્થળના નિરીક્ષણ દરમિયાન તેમની ઉપર કરવામાં આવેલો હુમલો સ્થાનીક લોકોનો વિરોધ નહીં બલ્કે કાવતરાનો ભાગ હતો. જો કોઈ વાત પર સ્થાનીક લોકોમાં નારાજગી હોત તો અગાઉ તેમની પાસે કોઈએ રજુઆત કરી હોત. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટી ઓફ નાલંદા માટે અધિગ્રહિત કરવામાં આવેલી જમીનનુ વળતર ખુબજ ઉદારતા પુર્વક આપવામાં આવ્યુ હતુ અને જો તેના કારણે જ કોઈને અસંતોષ હોત તો લોકો તેમને જનતા દરબારમાં અથવા આવેદનપત્ર દ્વારા પોતાની રજુઆત કરત. ગ્રામીણોમાં આ પ્રકારે કોઈ પણ અસંતોષ નથી અને તે બાબતે ગુપ્તચર શાખાએ કોઈ જાણકારી પણ આપી નથી. ઉલ્લેખનીય છે કે, નાલંદા યુનિ.ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નિતીશકુમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Jokes- જન્મદિવસની શુભેચ્છા કેમ ન આપી

મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું, કહ્યું, 'હું સાધ્વી હતી અને રહીશ'

Ranveer Allahbadia Vulgar Remark: રણવીર અલ્લાહબાદીયાએ પેરેન્ટ્સને લઈને કર્યો વલ્ગર સવાલ, યુઝર્સ બોલ્યા તારા પપ્પાને જઈને પૂછજે

ગુજરાતી જોક્સ - ચાર પાનાનો નિબંધ

ગુજરાતી જોક્સ - પછી શું થયું?

વધુ જુઓ..

નવીનતમ

ગાજરની ફિરની

Promise Day History & Significance: પ્રોમિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીંનો ઇતિહાસ અને મહત્વ જાણો

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

International Epilepsy Day 2025 - વાઈ કે આંચકી શા માટે આવે છે? જાણો આ ખતરનાક રોગના કારણો અને લક્ષણો

ભૂંગળા બટેટા રેસીપી

Show comments